SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ છે. (૪) ગુરુજનને બેસવાને માટે ભાદરપૂર્વક આસન બિછાવીને તેમને કહેવું કે “ આપ અહી` બિરાજો. (૫) જ્યારે ગુરુજન ઊઠીને ચાલવા માંડે ત્યારે તેમને માટે એક સ્થાનેથી ખીજે સ્થાને આસન લઈ જવું. (૬) ખાર આવક પૂર્વક વ‘ધ્રુણા કરવી. (૭) મન્ને હાથ જોડવા, (૮) ગુરુજનને આવતાં જોઇને તેમની સમક્ષ જવુ' એટલે કે દર્શન સપન્ન ગુરુને આવતાં જોઈને તેમની સામે જવું, (૯) દશનાધિક ( સમકિતથી મેાટા ) બેસી જાય ત્યારે તેમની પ. પાસના કરવી અને (૧૦) દર્શનાધિક જ્યારે ગમન કરે ત્યારે તેમની પાછળ પાછળ ચાલવું' આ પ્રકારે શુષણા વિનય છે. અનુચિત ક્રિયા કરવાથી દૂર રહેવા રૂપ અનાશાતના વિનયના નીચે પ્રમાણે ૧૫ પ્રકારના કહ્યા છે હું શિલ્પ્યાર ધન માર્થાય ” ઇત્યાદિ (૧) તીર્થંકરના વિનય, (૨) તીથકર પ્રરૂપિત ધર્મોને વિનય, (૩) આચાય ના વિનય, (૪) ઉપાધ્યાયને વિનય, (૫) સ્થવિરના વિનય, (૬) કુલના વિનય, (૭) ગણુનેા વિનય, (૮) સ`ઘનેા વિનય, (૯) સાંભોગિકને વિનય, (૧૦) ક્રિયા વિનય, (૧૧ થી ૧૫) મતિજ્ઞાન માટે આદિ પાંચ જ્ઞાનના વિનય. તીર્થંકરની અશાતના ન કરવી જોઇએ, અને તીથકર પ્રરૂપિત ધર્મની અશાતના પણ કરવી જોઇએ નહી, આ પ્રકારના વિચાર કરીને જે જીવ તીથ - કરની અનાશાતનામાં અને તીર્થંકરની પ્રતિપાદિત ધર્મની અનાશાતનામાં પ્રવૃત્ત રહે છે, એવા જીવને તીર્થંકર અનાશાતના વિનય સ‘પદ્મ કહે છે. એજ પ્રમાણે બાકીના ૧૩ પ્રકારો વિષે પણ સમજવું. તીથ કર, ધર્મ આદિ શબ્દોને અથ સુગમ છે સમાન સમાચારીવાળા જે સાધુએ હાય છે. તેમને સાંભગિક સાધુઓ કહે છે. આસ્તિકતાનું નામ ક્રિયા છે. આ પંદર પ્રકારની અનાશાતનાની જેમ ભક્તિબહુમાન, એટલે કે ભક્તિ રૂપ બહુમાન કરવું તે ૧૫ પંદર પ્રકારનુ છે. તથા વધુવાદ અર્થાત્ પ્રશંસા કરવી તે ૧૫ ૫ દર એ અને અનાશાતના રૂપ હોવાથી અનાશાતના વિના કુલ ૪૫ પ્રકાર થાય છે કહ્યું પણ છે કે--- યવ્વા પુળ મી ” ઇત્યાદિ. આ ગાથાના અર્થ સ્પષ્ટ છે. પ્રશસા કરવી તેનું નાણુ વર્ણવાદ છે હવે ચારિત્ર વિનયનું સ્પષ્ટીકરણુ કરવામાં આવે છે. ચારિત્ર-ક્રિયા-રૂપ જે વિનય છે તેને અથવા ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા આદિ રૂપ જે વિનય છે તેનું નામ ચારિત્રવિનય છે. એટલે કે સામાયિક આદિ ક્રિયાએ પ્રત્યે શ્રદ્ધા રાખવી, કાયા દ્વારા તેમની આરાધના કરવી, અને ભવ્ય જીવાની સમક્ષ તેનું પ્રતિપાદન કરવું તેનું નામ ચારિત્રવિનય છે. કહ્યું પણ છે કે” ઇત્યાદિ. આ ગાથાના અથ ઉપરના કથનમાં 66 सामाइयाइचरणस्स જ સ્પષ્ટ થઈ ગયા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૬
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy