SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તે ક્ષુલ્લક છ માસિક લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે પર્યાય એક સાધુને તે ગૃહસ્થ એ જવાબ આપે છે કે “અમે તે સાધુને દેડકાને ભારતે જે નથી, ત્યારે તે ક્ષુલ્લક છ માસિક ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જયારે પર્યાય ૪ સાધુ આચાર્યની પાસે જઈને કહે છે કે ગૃહસના કહેવાથી અમને ખાતરી થઈ ગઈ છે કે તે સાધુએ દેડકાને માર્યો નથી, ત્યારે તે ભુલકને છ માસનું છેદ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે ક્ષુલ્લક એમ કહે કે ગૃહસ્થ તે અસંયત હોય છે, તે વાત વાતમાં જુઠું બોલતા હૈયા છે, તે તે મુલકને મૂલ પ્રાયશ્ચિત્ત લાગે છે. વળી ત્યાર બાદ પણ જે ક્ષલક એમ કહે કે તમે બધાં ગૃહસ્થ તે એક થઈ ગયા છે અને હું એક છું, તે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે તે ક્ષલક એમ કહે કે તમે સૌ પ્રવચનનું પાલન કરનારા નથી, તે તેને પારાં. ચિક પ્રાયશ્ચિત્ત લાગે છે. આ રીતે ઉત્તરોત્તર અસત્ય દોષારોપણ કરનાર તે સાધુને માટે પારાચિક પ્રાયશ્ચિત્ત પર્વતના પ્રાયશ્ચિત્ત પસ્તાર કહ્યાં છે. મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરવાને કારણે તે આ પ્રકારના પ્રાયશ્ચિત્ત કરતા રને પાત્ર બને છે. જે બીજા સાધુ (જેના પર દેડકાની હત્યાને આરે" મૂકવામાં આવ્યો છે તે સાધુ) દ્વારા ખરેખર દેડકાની હત્યા થઈ ગઈ હોય અને તે જુઠું બેલતે હોય, તો તેને પણ પ્રાણાતિપાત વિરમણ અને મૃષા વાદ વિરમણ, આ બન્ને પ્રકારના વતને ભંગ થઈ જવાથી ઉપર્યુક્ત પ્રાય. શ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે (૧) એ જ પ્રમાણે જે કોઈ સાધુ બીજા કેઈ સાધુ પર મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરવાને બેટો આરોપ મૂકે, તે તે પેટે આપ મૂકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. (૨) એ જ પ્રમાણે અદત્તાદાનને ભંગ થઈ જવાને ટે અપ કઈ સાધુ પર મુકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. હવે સૂત્રકાર બીજા અને ત્રીજા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરે છે નોમિ રંag” ઈત્યાદિ– મૃષાવાદમાં સંખડી વિષયક દેષારોપણ અને અદત્તાદાનમાં મોદકગ્રહણ વિષયક દોષારોપણનું કથન થવું જોઈએ. એટલે કે મૃષાવાદમાં સંખડી (સુખડી) વિષયક દોષારોપણ કરનારા આરે પણર્તાના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું અને અદત્તાદાનમાં માદક ગ્રહણ વિષયક દૃષાર પણ કરનારા આરોપણુર્તાના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન પૂર્વોક્ત રૂપે જ થવું જોઈએ. એ જ વાત નીચેની ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે “હળવાણુળહિં નાચ” ઈત્યાદિ આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–ભિક્ષાપ્રાપ્તિ માટે બ્રમણ કરતા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૧૭૪
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy