SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયથી મનઃ પ્રાગ્ય વણાલિકને લઈને તેમને મનરૂપે પરિણુમાવે છે, તે દ્રવ્યમન છે. તથા દ્રવ્યમનની મદદથી જીવની મનન કરવા રૂપ જે પ્રવૃત્તિ ચાલે છે તેને ભાવમન કહે છે. ઈન્દ્રિય અર્થાવગ્રહમાં આ ભાવમન વડે જ અર્થના અવગ્રહ રૂપ જ્ઞાન થાય છે, તેથી તેને નેઈન્દ્રિયાર્થાવગ્રહ કહેવામાં આવે છે, એમ સમજવું. ભાવમનના ગ્રહણ વડે દ્રવ્યમનનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે દ્રવ્યમન વિના ભાવમનને વ્યાપાર ચાલી શકતું નથી. દ્રવ્યમન તે ભાવમન વિના પણ હોઈ શકે છે. સૂ. ૫૧ છે અવધિજ્ઞાનકે સ્વરૂપના વર્ણન તથા–“વિ ગોહિનાને vor”-ઈત્યાદિ-(સુ. પર) સત્રાર્થ—અવધિજ્ઞાનના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે—(૧) આનુગમિક, (૨) અનાનુગમિક (૩) વિદ્ધમાનક, (૪) હીયમાનક, (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ, અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમથી, કેઈ પણ ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને સ્પષ્ટ રૂપે જાણનારું જે જ્ઞાન છે તેને અવધિજ્ઞાન કહે છે. આવવિજ્ઞાનના પ્રભાવથી આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થને જાણી શકે છે. અથવા “અઆ પદ અગ્યેય છે અને તે અનેક પ્રકારના અર્થનું વાચક છે. અહીં તેનો અર્થ “અધઃ” લેવામાં આવ્યા . તેથી અવધિજ્ઞાનનો અર્થ નીચે પ્રમાણે થાય છે—જેના દ્વારા નીચેના પ્રદેશમાં રહેલી વસ્તુને જાણી શકાય છે તેનું નામ અવધિજ્ઞાન છે. અવધીને રૂતિ થવધિ વિશ્વ જ્ઞાનં ૨ દૃત્તિ અવધિજ્ઞાન” આ પ્રકા રની જે અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ પ્રકટ કરવામાં આવી છે તે વિષયની બહત્તાને લીધે પ્રકટ કરવામાં આવી છે, નહીં તે તિર્યગૂ અથવા ઉદર્વગત વસ્તુને જાણનારા જ્ઞાનને અવવિજ્ઞાન કહી શકાય નહીં. અથવા અવધિ એટલે મર્યાદા આ જ્ઞાન રૂપી પદાર્થોને જ જાણી શકે છે – અરૂપી પદાર્થોને જાણી શકતું નથી. આ પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન હોવાથી તેને અવધિજ્ઞાન કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૦
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy