SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણકારક, વિપુલ, પ્રયત, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષપકર એવી તપસ્યા કરે છે, તે મારાથી શિરેલુંચનાદિ જન્ય આભ્યપગામિકી અને ઔપકમિટી વેદનાનુ સારી રીતે વેદન શા માટે ન થઈ શકે? તેના પ્રત્યે કુપિત થવાની શી જરૂર છે? અદીન ભાવયુક્ત થઈને શા માટે હું તેને સ્વીકારી ન લઉં? તેનાથી મારે શા માટે વિચલિત પરિણતિવાળા બનવું જોઈએ? જે હું આ આભુપગામિકી અને પકમિકી વેદનાને સારી રીતે સહન નહી કરૂં, તેના પ્રત્યે કુપિતભાવયુક્ત બનીશ, દીનભાવયુક્ત બનીશ, અને વિચલિત પરિણતિવાળે બનીશ, તે મારું શું થશે? આમ કરવાથી તે હું એકાન્તતા (સંપૂર્ણ રૂપે) પાપી બની જઈશ. પરંતુ જે હું તેના પ્રત્યે કપિત નહી બનું, દીનભાવયુક્ત નહી બનું, અને મારા કર્તવ્ય માગમાંથી વિચલિત થયા વિના તે વેદનાને સમતા ભાવપૂર્વક સહન કરી લઈશ તે એકાન્તરૂપે મારા કર્મોની નિર્જરા થશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને આભ્યદયિકી અને ઔપક્રમિકી વેદનાને સહન કરનાર નિગ્રંથ શ્રુતચાત્રિરૂપ ધર્મને આરાધક હોવાને કારણે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ચેથી સુખશધ્યાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ટીકાર્થ—અહીં “દુખશયા આ પદમાં ‘દુખત્પાદિકી શય્યા એ મધ્યમ પદલપી સમાસ છે. તે દુઃખશય્યા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. ભાંગ્યા તૂટ્યા ખાટલા વગેરેને દ્રવ્યરૂપ દુઃખશયા કહી શકાય. તથા મનના પરિણામેને કારણે દુઃશ્રમણુતારૂપ જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને ભાવરૂપ ખશય્યા કહી શકાય છે એવી ભાવરૂપ દુઃખશય્યા ચાર કહી છે– (૧) પ્રવચન પ્રત્યે અશ્રદ્ધારૂપ દુખશય્યા, (૨) પરલાભ પ્રાર્થનારૂપ દુઃખશયા (3) કામાશંસતારૂપ દુઃખશમ્યા અને (૪) સંવાહનાદિની ચાહનારૂપ દુખશય્યા. પહેલા પ્રકારની દુાખશવ્યાનું સ્પષ્ટીકરણ–કેઈ ગુરુકમ જીવ કેશનું લંચન કરીને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક નિર્ગથ પર્યાયને સ્વીકાર કરી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy