SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કે “મનુષ્ય સંબંધી કામગે પણ ઉપગ્ય પદાર્થો છે,” કારણ કે દિવ્ય કામોની અપેક્ષાએ તે તે કામભેગો તેને બિલકુલ તુચ્છ-અસાર લાગે છે, વળી તેને એવું પણ લાગતું નથી કે “મનુષ્યભવ સંબંધી કામગથી મારું પ્રયજન સિદ્ધ થશે” વળી “એ કામગેની મને ફરી પ્રાપ્તિ થાય”, એવી અભિલાષા પણ તે રાખતા નથી. “ હું તે કામગોને ઉપકતા જ બની રહું” એ તે સ્થિતિને વિકલ્પ પણ કરતું નથી. અથવા “તે મારી પાસે જ કાયમ રહે ” આ પ્રકારને અવસ્થાન સ્થિતિ) રહેવાને વિકલ્પ પણ તેના મનમાં ઉદ્ભવતું નથી. અહીં “1” શબ્દ આરંભને દ્યોતક છે. આ કારણે તે અધુને પપન્ન દેવ દેવકમાંથી મટ્યલેકમાં આવતું નથી. અહી પહેલા કારણનું સપષ્ટીકરણ પુરૂં થાય છે. બીજા કરણનું સ્પષ્ટીકરણ–તે અધુને ૫૫ન્ન દેવ જ્યારે મૂચ્છિત આદિ પૂર્વોક્ત વિશેષણેથી યુક્ત બને છે, ત્યારે મનુષ્યભવ સંબંધી કામગ પ્રત્યેને તેને અનુરાગ ઉત્પન થઈ જાય છે તે કારણે તે મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા થવા છતાં પણ આવી શક્તિ નથી. ત્રીજા કરણનું સ્પષ્ટીકરણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલા નવા દેવના મનમાં એવી ઈચ્છા થાય છે કે “મારા પૂર્વભવના માતા, પિતા આદિને મળવા માટે જવું જોઈએ ? પરંતુ તેને એમ થાય છે કે થોડી જ વારમાં અહીંથી ત્યાં જવા ઉપડીશ, ડી વાર અહીંના કામોને ભેગવી લઉં, પછી મનુષ્યલોકમાં જવા માટે ઉપડીશ. ઉતાવળ કરવાની શી જરૂર છે ” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં એટલે બધે કાળ વ્યતીત થઈ જાય છે કે મનુષ્યલેટમાં રહેલા તેના પૂર્વભવના માતા, પિતા આદિ પરિચિત વ્યક્તિઓ તે અલ્પાયુષી હેવાને કારણે મનુષ્યભવ સંબંધી આયુષ્ય પૂરું થઈ જવાથી કઈ અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય છે. આ વાત જાણીને તે મનુષ્યલેકમાં આવવાને વિચાર માંડી વાળે છે. ચોથા કારણનું સ્પષ્ટીકરણ–પૂર્વોક્ત મૂર્શિત આદિ વિશેષણવાળે તે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૪૦
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy