SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જે ગ્રહણ કરાય છે અથવા જેને સંગ્રહ કરાય છે તેનું નામ પરિગ્રહ છે. તે પરિગ્રહના ધન, ધાન્ય આદિના ભેદથી નવ પ્રકાર કહ્યા છે. તે પરિગ્રહથી વિરમણ થવું-નિવૃત થવું, તેનું નામ પરિગ્રડ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચ મહાવ્રતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચ અણુવ્રતનું નિરૂપણ કરે છે વાસુદના” ઈત્યાદિ–જે વ્રતો લધુ છે-પાંચ મહાવ્રતની અપેક્ષાએ જે વ્રત અ૫ વિષયવાળા હોવાને કારણે આણુરૂપ છે, તે વ્રતને અણુવ્રતે કહે છે. તેમના કરતાં મહાવ્રતને વિષય મહાન છે, મહાવ્રતો કરતાં અણુવતનો વિષય અપ છે. તેથી તે વ્રતોને અણુવ્રત કહ્યાં છે. અથવા–લઘુ જીવના થોડા સરખા ગુણસંપન્ન જીવનના જે વ્રત છે તેમને અણુવ્રત કહે છે. અથવા “અનુત્ર” આ પદની સંસ્કૃત છાયા “અનુવ્રત” લેવામાં આવે, તે તેને અર્થ આ પ્રમાણે થાય છે. મહાવ્રતના પાલનનો ઉપદેશ કરવામાં આવે, પણ તેમનું પાલન કરવાને અસમર્થ એવા મનુષ્યોને જઈને તેમને લક્ષ્ય કરીને જે વ્રત પાળવાને ઉપદેશ આપવામાં આવે છે, તે વ્રતોને અનુવતે (અણુવ્રત) કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સૌથી પહેલાં જીવને મુનિધર્મને જ ઉપદેશ આપ જોઈએ, એવી જિન પ્રવચનની આજ્ઞા છે. આ ઉપદેશથી વિપરીત ઉપદેશ કરવે જોઈએ નહીં પણ જે ઉપદેટાને એમ લાગે કે શ્રોતા મહાવતે ગ્રહણ કરવાને સમર્થ નથી, તે તેણે તેમને અણુવ્રતોને ઉપદેશ આપ જોઈએ. આ રીતે મહાવ્રતોનો ઉપદેશ આપ્યા બાદ જેનો ઉપદેશ અપાય છે, એવાં વ્રતોને અણુવ્રતે કહે છે. તેમનાં નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ દ્વીન્દ્રિયાદિક અને સ્કૂલ કહ્યાં છે, તેમને સ્થલ કહેવાનું કારણ એ છે કે સકળ લૌકિકજન તેમને જીવરૂપ માને છે. સ્કૂલ જીવ વિષયક જે પ્રાણાતિપાત થાય છે તે પણ સ્કૂલ હોય છે. આ સ્થૂલ પ્રાણાતિપાતથી જે વિરમણ થાય છે જીવ હિંસાને જે ત્યાગ થાય છે તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહે છે. આ પહેલું અણુવ્રત સમજવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત-પૂલ મૃષાવાદ (વધુ પડતું જૂઠું બોલવું તે) મહા અનર્થનું કારણ બને છે. જે વચનથી બોલનાર જડા માણસ તરીકે ખ્યાતિ પામે, જે વચનને કારણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૦૫
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy