SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે. તે કામોને તે સારા ગણતું નથી, તેમને તે પિતાના કામના માનતો નથી, તે કામમાં તે નિદાનથી બંધાતો નથી એટલે કે તે કામ ભેગોની પિતાને પ્રાપ્તિ થાય એ સંકલ્પ કરતા નથી. અહીં “કામ” પદથી શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા જોઈએ અને “ભેગ' પદથી ગંધ, રસ અને સ્પર્શ ગ્રહણ કરવા જોઈએ. અથવા “ શાખ્યતે રૂતિ વામાઃ” આ વ્યુત્પત્તિ અનુસાર જે અભિલવિત (ઇચ્છિત) હોય છે તેનું નામ કામ છે. “અને રિ મોઃ ” જે ભેગવવામાં આવે છે તેને ભોગ કહે છે, એવાં ભેગ શબ્દાદિ રૂપ હોય છે. આ રીતે મને જ્ઞ શબ્દાદિકને કામગ કહે છે, એમ સમજવું. તે નવીન દેવ આ કામમા મૂચ્છિત થઈ જાય છે. જેમ મૂચ્છિત વ્યક્તિને આજુબાજુનું ભાન રહેતું નથી, તેમ તે નવા ઉત્પન્ન થયેલા દેવને પણ તે કામમાં લીન થઈ જવાને લીધે બીજું કઈ ભાન રહેતું નથી. તે કામમાં તે વૃદ્ધ (લુપ) થઈ જાય છે કારણ કે તે એ વાતને સમજવાને અસમર્થ બને છે કે તેનું સ્વરૂપ અનિત્ય આદિ લક્ષણવાળું છે. તે આ કામગેની અધિકમાં અધિક આકાંક્ષાવાળો બની જાય છે અને તેનાથી તૃપ્ત થતું જ નથી. આ કામગો પ્રત્યે તેને એટલો બધે નેહ બંધાય છે કે દેરીથી જકડાયેલા માણસની જેમ તે આ સ્નેહના બંધનથી જકડાયેલ માણસની જેમ તે આ નેહના બંધનથી જકડાયેલું રહે છે, અને તે કારણે તે તેમાં તન્મય થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલ તે દેવ મનુષ્યભવ સંબંધી કામગને તુચ્છ ગણુ થઈ જાય છે, તેમને તે યથાર્થ રૂપે માનતું નથી, તે કામગોથી પોતાનું પ્રયોજન સાધી શકાશે, એવું તેને લાગતું નથી, ભવિષ્યકાળમાં પણ તેમને પ્રાપ્ત કરવાની ભાવના રાખતા નથી. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા કરવી તેનું નામ નિદાન (નિયાણું) છે, એવું નિયાણું તે બાંધતો નથી. વળી તે એવી પણ ભાવના રાખતે નથી કે તે (કામ ) મારી સાથે રહે અને હું તેમની સાથે રહું. આ રીતે દિવ્ય વિષયોમાં પ્રસક્તિ (આસક્તિ) હોવા રૂપ પહેલા કારણને લીધે, તે અધુનેપપન દેવ મનુષ્યલેકમાં આવવાની કામનાવાળો હોવા છતાં પણ આવી શકતો નથી હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–તે અધુને પપનન દેવ જ્યારે દિવ્ય કામોમાં મૂચ્છિત, લુબ્ધ આદિ વિશેષણવાળે થાય છે, ત્યારે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૬
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy