SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ લવણું સમુદ્રની ચારે દિશાઓમાં પૂર્વાદિ ક્રમથી ચાર વેલન્દરાવાસ આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) ગેસ્તૂપ, (૨) દકભાસ, (૩) શંખ અને (૪) દકસીમ, તેમાં અનુક્રમે શેતૂપ, શિવક, શંખ અને મના શિલ નામના વેલન્કરરાજ નિવાસ કરે છે. અવેલન્ધર નાગરાજની વક્તવ્યતાનું નિરૂપણ કરતી ગાથાઓ- મgવેસ્ટંધવાની ” ઈત્યાદિ–આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે લવણ સમુદ્રમાં ઇશાન આદિ વિદિશાઓમાં અનુક્રમે કર્કોટક, વિષ્ણુભ, કૈલાસ અને અરુણપ્રભ નામના નાગરાજ રહે છે. તે આવાસ પર્વતો લવણ સમુદ્રમાં ૪૨ હજાર યોજન દુર જવાથી આવે છે. તેઓ ૪૦૦ યોજન અને ૩૦ કેસ જેટલી ભૂમિને ઘેરીને ઊભા છે. તેમની ઊંચાઈ ૧૭૨૧ જન છે. લવણસમુદ્રમાં ચાર ચન્દ્રમાં છે. તેઓ ભૂતકાળમાં તેને પ્રકાશ દેતા હતા, વર્તમાનમાં પણ દે છે અને ભવિષ્યમાં પણ દેશે. ત્યાં ચાર સૂર્ય તયતા હતાં, તપે છે અને તપશે ચન્દ્ર શીતલ કિરણે વાળે અને સૂર્ય ઉણ કિરણો વાળ હોય છે. તેથી અહીં એવું કહ્યું છે કે ચન્દ્રો પ્રકાશ આપે છે અને સૂર્યો પ્રચંડ કિરણોને કારણે તાપ આપે છે. ચાર ચન્દ્રના પરિવાર રૂપ નક્ષત્રાદિ પણ ત્યાં ચાર ચાર રૂપ છે. એ જ વાત સૂત્રકારે “વત્તા િરિા ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. ત્યાં જે ચતુષ્ટયતા છે તે નક્ષત્રોની અપેક્ષાએ છે, નારકની અપેક્ષા એ નથી. જેમકે વાં ચાર કૃતિકાઓ છે, એ જ પ્રમાણે હિeણીથી લઈને ભરણ પર્યન્તનાં નક્ષત્રમાં પણ ચતુષ્ટયતા સમજવી. અહીં યાવત (પર્યત) પદથી રહિણીથી લઈને ભરણ સુધીના ૨૮ નક્ષેત્રે ગ્રહણ કરવામાં આવ્યાં છે. છે ત્તારિ અrm” ઈત્યાદિ– કૃત્તિકાથી શરૂ કરીને ભરણી સુધીના ૨૮ નક્ષત્રે છે, અનુક્રમે અગ્નિથી લઈને યમ પર્યન્તના તેમના ૨૮ દેવતાઓ છે. તેમાંના પ્રત્યેકને દેવતા ચતુઃસ્થાનકના અનુરોધથી ચાર પ્રકાર છે, એમ સમજવું. હવે સૂત્રકાર લવણ સમુદ્રના અવકાશમાં જે જે ગ્રહો રહેલા છે, તે પ્રત્યેક ગ્રહમાં ચતુષ્ટયતાનું પ્રતિપાદન કરવા નિમિત્તે “વત્તાર મજા” ઇત્યાદિ સૂત્ર કહે છે–અંગારક (મંગળ) પહેલે ગ્રહ છે, અને ભાવકેત ૮૮ મે ગ્રહ છે. નક્ષત્ર, દેવતા અને ગ્રહોનાં નામ દ્વિતીય સ્થાનકના ૩૪ માં સૂત્રમાં આપ્યાં છે, તે ત્યાંથી વાંચી લેવા. arta gણ” ઈત્યાદિ– લવણ સમુદ્રના ચાર દ્વાર છે–(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિત. દ્વાર વિષેનું બાકીનું સમસ્ત કથન જબૂદ્વીપના દ્વારેના કથન અનુસાર સમજવું સૂ, ૬પ છે દ્વીપ પ્રકરણના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ધાતકીખંડ દ્વીપના વલયપ્રમાણ આદિનું નિરૂપણ કરે છે. “પાચવડે રીરે ચત્તારિ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૫
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy