SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધાદિમાં પહેલે ભેદ યવિજજીવ પર્યન્ત સાથે રહેવાવાળો, બીજા ભેદને એક વર્ષ સુધી, ત્રીજા ભેદને ચાર મહીના સુધી, ચોથા ભેદને એક પખવા ડીયા સુધી જીવની સાથે રહેવાવાળે કહ્યો છે. અહીં જે પાંચમી ગાથા છે તેના દ્વારા સૂત્રકારે આ ક્રોધાદિકેને વાસનાકાળ (સ્થાયી રહેવાને કાળ) પ્રકટ કર્યો છે. અનન્તાનુબધી ક્રોધને, અનન્તાનુબધી માનને, અનન્તાનુબન્ધી માયાને અને અનન્તાનુબંધી લેભને વાસનાકાળ જીવન પર્યન્તને કહ્યો છે. અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધાદિકને એક વર્ષને વાસનાકાળ કહ્યો છે. પ્રત્યાખ્યાન સંબધી કોધાદિકને ચાર માસનો અને સંજવલન સંબંધી ક્રોધાદિકને એક પક્ષને (પખવાડિયાને) વાસનાકાળ કહ્યો છે. સૂ. ૫૫ છે પહેલાના સૂત્રમાં કષાયની પ્રરૂપણ કરવામાં આવી. તે કષાયોને કારણે જ જીવેને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સંસારકે સ્વરૂપના નિરૂપણ સંસારના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “રાદિ સંસારે gumત્તે ઈત્યાદિ– સૂત્રાર્થ–સંસારને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) નરયિક સંસાર (૨) તિર્લગેનિક સંસાર, (૩) મનુષ્ય સંસાર અને (૪) દેવ સંસાર ચાર પ્રકારને આયુકર્મ કહ્યાં છે–(૧) નરયિક આયુથી લઈને દેવાયુ પર્યન્તના ચાર પ્રકાર અહીં સમજવા. ભવ ચાર કહ્યા છે– નૈરયિક ભવથી લઈને દેવભવ પર્યન્તના ચાર ભવ અહીં ગ્રહણ કરવા. વિશેષાર્થ–જુદી જુદી ગતિમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. મનુ ખ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં જવા રૂપ સંસારના નૈરયિક સંસાર આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–નરથિકને ચેાગ્ય આય, નામ, શેત્ર આદિ કર્મોને ઉદય થવાથી “આ જીવ નૈરયિક છે” એ જે વ્યવહાર થાય છે, તેનું નામ નરયિક છે. કહ્યું પણ છે કે-- “णेरइएणं भंते ! णे रइएसु उववज्जइ, अणेरइए णेरइएसु उववज्जइ गोयमा ! ms mgp૩વવા નો વવકારૂ” આ ગૈરયિકને જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy