SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જેના ઘણું છે, એવો થઈ જાય છે. અહીં “સંયમ બહુલ” આ વિશેષણને જે પ્રયોગ થયે છે તે ષજીવનિકાયની વિરાધનાથી વિરમણ થવાની મુખ્યતાને પ્રકટ કરવા નિમિત્તે થયે છે, કારણ કે “ જિય રૂથ વચેઈત્યાદિ. સમસ્ત જિનવરોએ પ્રાણાતિપાત વિરમણરૂપ એક જ વ્રત કર્યું છે, બાકીનાં જે વ્રત છે તે તે આ વતની રક્ષા નિમિત્તે જ કહ્યા છે. સંયમ બહુલતા અને સંવર બહુલતા, આ બન્નેને સદ્ભાવ રાગાદિ રહિત ચિત્ત વૃત્તિવાળા પુરુષસિંહમાં જ હોઈ શકે છે. તેથી જ “સમાધિ બહલ” આ વિશેષણનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનું ચિત્ત પ્રચુર સ્વારથ્યમાં લીન થઈ જાય છે તેને સમાધિ બલ કહે છે. એવો જીવ રૂક્ષ થઈ જાય છે, તેલ-માલિશ આદિના અભાવે તે દ્રવ્યની અપેક્ષાએ રૂક્ષ થઈ જાય છે, અને ભાવની અપેક્ષાએ કામાદિથી રહિત થવાને કારણે તે રૂક્ષ થઈ જાય છે, કારણ છે તે સીદી તી રાથી અથવા તીરસ્થાયી હોય છે, અથવા તીર સ્થિતિવાળે હોય છે. ભવસાગરને પાર કરવાની કામનાવાળો હોય છે, તેથી તેને તીરાથી કહો છે. અથવા ભવસાગરને કિનારે આવીને તે ઊભે જ રહી જાય છે તેથી તેને તીરસ્થાયી કહે છે. જ્યારે તે ભવસાગરને કિનારે આવીને ઊભો રહી જાય છે અથવા ભવસાગરના તટપર તેની સ્થિતિ (અવસ્થાન) થઈ જાય છે ત્યારે તે તીર સ્થિતિવાળે થઈ જાય છે. તે કારણે જ તે “ ઉપધાનવાન છે એટલે કે પ્રશરત મન, વચન અને કાયવાળે થઈ જાય છે. તેથી જ તે “ ?? અને દુઃખજનક કર્મને ક્ષય કરવા માંડે છે. કેવી રીતે તે કર્મનો ક્ષય કરે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે-- તે તપસ્વી હોય છે, અનશાદિ બાહા તપ અને પ્રાયશ્ચિત્ત આદિ આવ્ય-તર તપ આરાધક હોય છે. તે એ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયે હોય છે કે બાહ્ય અને આભ્યન્તર તપ જ કમરૂપી વનને ભસ્મ કરવાને અગ્નિની ગરજ સારે છે. જો કે સંયમ બહુલ આદિ વિશેષણવાળા તે અણુગારના બાહ્ય અને આભ્યન્તર તપ, શ્રી વર્ધમાન જિનેશ્વરના બાહ્ય અને આભ્યન્તર તપ સમાન અત્યત ઘર હોતા નથી. “ઘર્ષ તથા પ્રાં રેતા નો મવતિ” તથા અતિ ઘર ઉપસર્ગજન્ય વેદના પણ તેમને સહન કરવી પડતી નથી, કારણ કે તે અલ્પ કર્મ પ્રત્યયાત (અલ્પ કર્મોને કારણે) હલકમ (લઘુકમ) હોય છે. તેથી તે લઘુકમ પુરુષ ચિરકાલિક પ્રવ્રયા રૂપ કરણ દ્વારા “fસ્થતિ” અણિમાદિ વેગથી નિષ્ઠિત પ્રજનવાળ થઈ જાય છે, અથવા સિદ્ધિગતિમાં જવાને પાત્ર થઈ જાય છે, કારણ કે સર્વે કર્મોમાં મુખ્ય એવા મોહનીય કર્મનો તે ક્ષય કરી નાખે છે. “ નુષ્યને ” ચાર ઘાતિયા કર્મો ક્ષય કરીને તે કેવલી થઈ જાય છે. “ મુ ” ભપગાહી કમકલાપથી–ચાર અઘાતિયા કર્મોથી મુક્ત થઈ જાય છે, “તિનિતિસર્વ કર્મ જન્ય વિકાર સમૂહ દર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૫
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy