SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ–“આ ત્રણ પ્રકારના મનુષ્ય પ્રવજ્યા આપવા ગ્ય ગણાતા નથી, એવું સૂત્રકારે જે વિધાન કર્યું છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–૧) પંડકને પ્રત્રજ્યા આપવા ગ્ય ગણ્ય નથી. પંડક એક જાતને નપુંસક વિશેષ હોય છે, તેના છ લક્ષણ નીચે પ્રમાણે કહ્યાં છે – માિ સંgવો” ઈત્યાદિ– તેને સ્વભાવ સ્ત્રી જે હેય છે, તેના સ્વરમાં અને વર્ણમાં ભેદ હોય છે. તેનું લિંગ મેટું હોય છે, તેની વાણી પાતળી હોય છે, પિશાબ કરતી વખતે તેના પેશાબમાંથી વિશિષ્ટ અવાજ નીકળે છે અને તેના પેશાબમાં ફીણ વળતાં નથી. આ છ લક્ષણોથી પંડકને ઓળખી શકાય છે, અને આ લક્ષણથી તેને ઓળખી લઈને તેને પ્રવજ્યા આપવી જોઈએ નહીં. (૨) વાતિકને પણ દીક્ષા આપવાને નિષેધ ફરમાવ્યું છે. વાત-વાયુથી પીડાતી વ્યક્તિને વાતિક કહે છે. આ વાતપ્રકૃતિવાળે મનુષ્ય જ્યાં સુધી તેની પ્રતિસેવા કરી લેતું નથી, ત્યાં સુધી સ્વ-પર રૂ૫ કઈ પણ નિમિત્તે કરીને વેદેદયને ધારણ કરવાને સમર્થ હોઈ શકતા નથી. જે તે નિરૂદ્ધ વેદવાળે થઈ જાય છે, તે તે નપુંસક રૂપે પરિણમી જાય છે. એવા પુરુષને વાતિક કહ્યો છે, અને તેને દીક્ષા દેવાને ગ્ય ગણ્ય નથી, અથવા–“વારૂ-વાણિ” આ પદની સંસ્કૃત છાયા વ્યાધિત પણ થઈ શકે છે. જે ચિરકાળથી ક્ષયરોગ આદિ વ્યાધીથી પીડાતો હોય તેને વ્યાધિત કહે છે, એવી વ્યાધીત વ્યક્તિને પણ દીક્ષા આપવાને પાત્ર ગણાવી નથી. લીબને પણ દીક્ષા આપવાને નિષેધ છે. જે મનુષ્ય સ્ત્રીનું સેવન કર. વાને અસમર્થ હોય છે, તેને કલીબ કહે છે. તે કલીન ચાર પ્રકારના કહ્યા છે-(૧) દષ્ટિ કલબ, (૨) શબ્દ ક્લબ, (૩) આદિગ્ધ કલબ અને (૪) નિમત્રિત કલીબ. નગ્ન અવસ્થાવાળી (વરહિત) સ્ત્રીને દેખતાંની સાથે જ જેના વીર્યનું ખલન થઈ જાય છે તેને દૃષ્ટિ કલીબ કહે છે. કામક્રીડામાં રત થયેલા સ્ત્રી-પુરુષના સત્કાર આદિ શબ્દને સાંભળતાં જ જેના વીર્યનું સ્મલન થઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy