________________
રાની અપેક્ષાએ મન, વચન અને કાય દ્વારા કૃત, કારિત અને અનુમેદનાના ભેથી ૧૮ પ્રકારનુ હાય છે, અથવા–વિવિધ ઉપાધિની અપેક્ષાએ અનેક પ્રકારનુ' પણ હાય છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ ખતાવવામાં આવ્યુ છે. જે વસ્તુને સ્વીકાર ( સંગ્રહ ) કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. ખાદ્યપરિગ્રહ અને આભ્યન્તર પરિગ્રડના ભેદથી તેના એ પ્રકાર કહ્યા છે. ધર્મસાધન સિવાયનાં જે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિના પરિગ્રહને માહ્યપરિગ્રડ કહે છે, અને તે પરિગ્રહ અનેક પ્રકારના હાય છે, તથા જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ આદિરૂપ હોય છે, તે પરિગ્રહને આભ્યન્તર પરિગ્રહ કહે છે. તે આભ્યન્તર પરિગ્રહ પણ અનેક પ્રકારના હોય છે, અથવા મૂર્છાભાવને પણ પરિગ્રહ કહે છે. તે બધાં પરિગ્રહ પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ સખ્યાવાળા છે.
ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાય છે. મેાહનીય કર્મીના ઉદયથી જીવમાં આ કષાયાની ઉત્પત્તિ થાય છે. તેથી તેઓ જીવના વિકૃત પરિણામ વિશેષરૂપ છે. તે ક્રોધાદિરૂપ પરિણામ અનન્તાનુબંધી આદિના ભેદથી અથવા અસ ́ખ્યાત અધ્યવસાય સ્થાનના ભેદથી અનેક પ્રકારના છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમને એકત્વ સખ્યાવાળા કહેવામાં આવ્યા છે. પ્રિયના જે ભાવ તેને પ્રેમ કહે છે. તેમાં માયા અને લેભનાં લક્ષણ અનભિવ્યક્ત હોય છે એટલે કે તેમાં માયા અને લેાભરૂપ કારણાને સદ્ભાવ હાતા નથી, પણ તે માત્ર આસક્તિરૂપ જ હોય છે. તે પણ સામાન્યની અપેક્ષાએ એક છે. દ્વેષ અનભિવ્યક્ત ( અપ્રકટ) ક્રોધમાનવાળા હોય છે, અને તે માત્ર અપ્રીતિરૂપ જ હાય છે. તે દ્વેષમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ હાય છે. ત્યારબાદ વપરાયેલા ચાવત્' ” પદ્મથી કલહ, અભ્યાખ્યાન અને પૈશુન્ય, આ ત્રણ પાપસ્થાનકા ગ્રહણ કરવામાં આવ્યાં છે. લડાઈ, ઝગડા આદિને કલહ કહે છે. અસદ્ભૂત (અવિદ્યમાન) દોષાનુ આરેપણુ કરવુ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
१७