________________
ટીકાર્થ-કર્મોનું જીવન પ્રદેશમાંથી એક દેશથી (અંશતઃ) નષ્ટ થઈ જવું તેનું નામ નિર્જરા છે. કર્મ જ્યારે પરિપકવ થઈ જાય છે, ત્યારે આત્મપ્રદેશે સાથે તેને સંબંધ છૂટી જાય છે, તેને જ નિર્જરા કહે છે. તપસ્યાના સેવન દ્વારા સંવર અને નિર્જરા થાય છે. એટલે કે તેના દ્વારા સંચિત કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મોના પ્રવેશને નિરોધ થાય છે. તપને કર્મોન સંતાપક ( નિવારક) કહેલ છે. તપસ્યા દ્વારા જ્યારે કર્મો શુષ્ક રસવાળાં થઈ જાય છે, ત્યારે તેઓ અતિ રૂક્ષ (ચીકાશ રહિત) થઈ જવાને લીધે નિ નેહ બંધનવાળા (ચીકાશને અભાવે બંધન રહિત) થઈ જવાથી આત્મપ્રદેશોમાંથી ઝરી જાય છે–ખરી પડે છે. આઠ પ્રકારના કર્મોની અપેક્ષાએ તેના આઠ પ્રકાર છે. છતાં નિર્જરા સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે.
અથવા–અથવા બાર પ્રકારનાં તપજન્ય હોવાથી તે બાર પ્રકારની પણ છે.
અથવા–સમતાપૂર્વક સુધા, પિપાસા, શીત, આપ, દંશમશક (ડાંસ મચ્છર આદિના ડંસ રૂપ ત્રાસ) આદિ જન્ય કષ્ટને સહન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી પણ નિજા થાય છે. આ રીતે નિર્જરાના અનેક પ્રકાર છે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી તેના બે પ્રકાર છે. આ રીતે તેમાં અનેકતા જણાતી હોવા છતાં પણ તેને જે એક સંખ્યાવાળી કહેવામાં આવી છે, તે નિજ રાસામાન્યની અપેક્ષાએ કહેવામાં આવેલ છે.
પ્રશ્ન—નિર્જરા અને મેક્ષમાં શું તફાવત છે?
ઉત્તર–શતઃ (અંશતઃ) કર્મોને ક્ષય થવે તેનું નામ નિજ રા છે, અને કર્મોને સર્વથા ક્ષય થવે તેનું નામ મેક્ષ છે. જો કે મોક્ષ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે, તેથી તે કર્મક્ષય રૂપ નથી. છતાં પણ કાર્યકારણમાં અભેદેપચારની અપેક્ષાએ તેને કર્મક્ષય રૂપ કહેવામાં આવે છે. છે સૂ૦૧૬
જીવ પ્રત્યેક શરીરાવસ્થામાં જ વિશિષ્ટ નિર્જરાવાળો હોય છે–સાધારણ શરીરાવસ્થામાં હોતું નથી, તેથી પ્રત્યેક શરીરાવસ્થ જીવનાં સ્વરૂપનું નિરૂપણ કરવાને માટે “ આયા” ઈત્યાદિ સૂત્ર દ્વારા જીવાદિક નવ તનું સામાન્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, હવે જીવના સ્વરૂપનું વિશેષરૂપે નિરૂપણ કરવાને માટે “જે જીવે વકિgi auf ” આ સૂત્રનું કથન કરવામાં આવે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧