SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવે છે. અથવા વસ્ત્રાભરણ આદિરૂપ ભાંડનું જે પ્રમાણ કરી લેવામાં આવે છે તેને ભાંડમપધિ કહે છે, અને તે ભાંડમાધિ બાહ્યરૂપ હોય છે-અન્તરંગ રૂપ હોતી નથી. ૨૪ દંડકના અસુરકુમાર આદિ ને તે ત્રણ પ્રકારની ઉપધિને સદૂભાવ હોય છે. એકેન્દ્રિય છે અને નારકે સિવાયના બાકીના વૈમાનિક પર્યન્તના જીવનમાં પણ આ ત્રણે પ્રકારની ઉપધિને સદૂભાવ હોય છે. નારકે અને એકેન્દ્રિમાં ઉપકરણના અભાવને લીધે ત્રણે પ્રકારની ઉપધિને સદ્ભાવ હોતું નથી, તે કારણે અહીં તેમને નિષેધ કરવામાં આવ્યો છે. કેટલાક શ્રીન્દ્રિય આદિ જીવના ઉપકરણ તે જોઈ શકાય છે અથવા અન્ય રીતે પણ ઉપધિના ત્રણ પ્રકાર પડે છે-(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર. જે ઉપધિ સચિત્ત હોય છે તેને સચિત્તોપધિ કહે છે. જેમકે શૈલ, હરિત પત્રાદિનું બનાવેલું ભાજન ( પાત્ર). જે ઉપધિ સચિત્ત હોય છે તેને અચિત્તોપધિ કહે છે. જેમકે શરીર વગેરે જે ઉપધિ મિશ્રરૂપ હોય છે તેને મિશ્રપષિ કહે છે. જેમકે પરિણતપ્રાય શિલાજન. ૨૪ દંડકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકમાં આ ત્રણે ઉપધિઓને સદા સદ્દભાવ રહે છે. વૈમાનિક પર્યન્તના સઘળા માં પણ આ ત્રણે ઉપાધિઓને સદ્ભાવ હોય છે. નરકમાં સચિત્તોપધિ રૂપે શરીર હોય છે, અચિત્તોપધિ તેમનું ઉત્પત્તિ સ્થાન હોય છે, અને ઉચ્છવાસ આદિથી યુક્ત શરીર જ મિશ્રોપધિ રૂપ હોય છે, કારણ કે ઉચ્છવાસ આદિને સચેતન અને અચેતન એ બન્ને રૂપે વિવક્ષિત કરવામાં આવેલ છે. એજ રીતે બાકીનામાં પણ મિશ્રતા સમજી લેવી. પરિગ્રહ પણ ત્રણ પ્રકારને કહ્યો છે. જેને સ્વીકાર કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. એટલે કે મૂચ્છને જે વિષય છે તેને પરિગ્રહ કહે છે. આમ તે પરિગ્રહ મૂર્છાભાવ રૂપ જ ગણાય છે. તે પરિગ્રહના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) કમ પરિગ્રહ, (૨) શરીર પરિગ્રહ અને (૩) બાહ્ય ભાંડમત્ર પરિગ્રહ. “ આ મારૂં છે,” એવાં જીવના પરિણામને પરિગ્રહ કહે છે, પરંતુ મૂછભાવના નિમિત્ત રૂપ હેવાને લીધે શરીર વગેરેને પણ પરિગ્રહ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ ત્રણે પ્રકારના પરિગ્રહોને સદૂભાવ નારકે અને એકેન્દ્રિય સિવાયના વૈમાનિક પર્યન્તના સમસ્ત માં હોય છે. એકેન્દ્રિયો અને નારકમાં કર્યાદિપ પરિગ્રહને જ સદ્દભાવ હોય છે. ભાંડાદિ રૂપ પરિગ્રહને સદૂભાવ હેતે નથી, તે કારણે તેમને અહીં છડી દેવાનું કહ્યું છે. . ૧૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૫
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy