SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ-લેક શબ્દથી ઉલેક, અલેક અને તિર્યગ્લેક અહીં ગ્રહણ કરાયા છે. અંધકારના બે ભેદ છે-(૧) દ્રવ્યાધકાર અને (૨) ભાવાત્વકાર. જેના દ્વારા દષ્ટિને વિઘાત થાય છે, તેનું નામ દ્રવ્યાન્ધકાર છે, તથા પ્રકાશક સ્વભા વરૂપ જ્ઞાનને જે અભાવ છે તેનું નામ ભાવાકાર છે. ક્ષેત્રનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે-“ભારત પણ ૩૮ ૪” ઈત્યાદિ– જ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતિયા કર્મોને જેમણે ક્ષય કરી નાખે છે, તેમને અહંત કહે છે. આ પદની વિસ્તૃત વ્યાખ્યા આવશ્યક સૂત્રની મુનિષિણે ટીકામાં આપવામાં આવેલ છે. “વ્યછિદ્યમાન” એટલે “કને ક્ષય કરીને નિર્વાણ માગે વિચરતા.” પૂર્વ' શબ્દનો પ્રયોગ દ્વારા ઉત્પાદ પૂર્વથી લઈને લેકબિન્દુસાર સુધીના ૧૪ પૂર્વ ગ્રહણ કરવાના છે. તે પૂવમાં પ્રવિષ્ટ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. પૂર્વગત શ્રત દષ્ટિવાદના અતર્ગત શ્રતાધિકાર રૂપ છે. “અહંતાદિકે જ્યારે નિર્વાણ પંથે વિચરે છે, ત્યારે લેકમાં અન્ધકાર કેવી રીતે થઈ શકે છે,” આ પ્રકારની શંકા અસ્થાને છે, કારણ કે રાજા આદિનું મૃત્યુ થતાં અને દેશ તથા નગરાદિને નાશ થતાં ચારે દિશાઓમાં ધુંધળું વાતાવરણ થઈ જવાથી જે જગતમાં અધકાર વ્યાપી જાય છે, તે સમસ્ત ભુવનવત કોના નિર્મળ નયનમાં જે સમભાવી દેખાય છે, એવાં અહંત ભગવાન આદિના નિર્વાણ કાળે લેકમાં અંધકાર વ્યાપી જાય, તેમાં નવાઈ પામવા જેવું શું છે? ઉદ્યોત એટલે પ્રકાશ. તે પ્રકાશ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને કહ્યું છે. ઘટ, પટ આદિ વસ્તુઓને પ્રકાશ આપનારી જે વસ્તુઓ છે તેમના પ્રકાશને દ્રવ્યપ્રકાશ કહે છે. પરંતુ ત્રણે લોકમાં સુખ ઉપજાવનાર જે પ્રકાશ હોય છે તે પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. જેમકે - અહંત પ્રભુને જ્યારે જન્મ થાય છે, જ્યારે તેઓ પ્રવજ્યા અંગીકાર કરે છે તથા જ્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવકૃત મહોત્સ દ્વારા લેકમાં પ્રકાશ થાય છે. આ પ્રકારના પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. દેના ભવનાદિમાં જે અલ્પકાર થાય છે તેનું નામ દેવાધિકાર છે. અહંતનિર્વાણ આદિ પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે તે દેવાધેકાર થાય છે. શંકા–જે આપે કાલ્પકારનું કથન કરી દીધું છે, તે દેવાકારના સ્વતંત્ર કથનની શી આવશ્યકતા છે? લાકમાં જ દેવલોકને પણ સમાવેશ થઈ કારણ હોવાથી શું આવું કથન જરૂરી છે ખરું? ઉત્તર–અધિકાર સર્વત્ર વ્યાપી જાય છે એમ દર્શાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૫
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy