________________
(૨)આહારક મિશ્ર અને (૭) કામણ કાયાગ, ઔદ્યારિક આદિ શબ્દોને અર્થ સરળ છે. જ્યાં સુધી ઔદારિક અપરિપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને દારિક મિશ્ર કહે છે. જેવી રીતે ગળમિશ્રિત દહીં ગોળ રૂપે પણ ઓળખાતું નથી અને દહીં રૂપે પણ ઓળખાતું નથી, એજ પ્રમાણે કામણની સાથે મિશ્ર એવા ઔદારિક શરીરને ઔદારિક પણ કહી શકાતું નથી અને કામણ પણ કહી શકાતું નથી, કારણ કે તે અપરિપૂર્ણ છે, તેથી તેને ઔદારિક મિશ્ર કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વૈક્રિય અને આહારમાં પણ મિશતા સમજવી.
અથવા–દારિક આદિ શુદ્ધ શરીરને સદ્ભાવ પર્યાપ્ત જીવમાં જ હોય છે, અને દારિક મિશ્ર આદિ શરીરને સદભાવ અપર્યાપક જીવમાં જ હોય છે. ઉત્પત્તિ કાળે ઔદારિક શરીરવાળાનું ઔદ્યારિક શરીર કામણ સાથે અને વૈક્રિય શરીર, આહારક કરવાને કાળે વૈકિય અને આહારક શરીર સાથે મિશ્ર હેાય છે. આ રીતે ઔદારિકમાં મિશ્રતા સમજવી. દેવાદિ પર્યાયની ઉત્પત્તિમાં વૈક્રિયકાય કામણ સાથે મિશ્ર હોય છે તેથી તેને ક્રિય મિશ્ર કહે છે. તથા જેણે વિક્રિયા કરી હોય એ જીવ જ્યારે ઔદારિકમાં પ્રવેશ કરે છે, ત્યારે તે કિય શરીર વક્રિય મિશ્ર હોય છે. તથા આહારક શરીરવાળો જીવ જ્યારે આહારકકાનું પ્રયોજન સિદ્ધ કરી લે છે અને ફરી ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે શરીર ઔદારિક સાથે મિશ્ર હોય છે, આ રીતે આહારકમાં મિશ્રતા સમજવી. કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુદ્દઘાતમાં થાય છે. આ બધાં યોગના ૧૫ પ્રકાર છે. આ વિષયને નીચેની સંગ્રહગાથામાં પ્રકટ કરવામાં આવેલ છે-“તાં મોહં મીલં” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-
મ ગના ચાર પ્રકાર, વચન ગના ચાર પ્રકાર અને કાગના સાત પ્રકાર મળીને યુગના કુલ ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૩૮