SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ છે તેને ભવસ્થિતિ કહે છે, તેને ભવકાળ પણ કહે છે. આ ભવસ્થિતિ રૂપ ભવકાળને સદ્દભાવ દેવો અને નારકેમાં હોય છે, કારણ કે દેવાદિ પર્યાય છેડયા બાદ ફરીથી દેવાદિ પર્યાયની પ્રાપ્તિ થતી નથી. ૧૮ આયુ બે પ્રકારનું થાય છે, અદ્ધાયુ અને ભવાયુ. મે ૧૯ ! અદ્ધા એટલે કાળ. તે કાળપ્રધાન જે પાંચમું આયુષ્કર્મ છે તેને અદ્ધાયુષ્ક કહે છે. તે અદ્ધાયુષ્ક જીવની સાથે કાલાન્તરાનુગામી હોય છે, તેથી કાલાન્તરાનુગામી આયુનું નામ જ અદ્ધાયુષ્ક છે. ૨૦ ભવપ્રધાન આયુનું નામ ભવાયુ છે અને તે ભવાયુને જ ભવાયુષ્ક કહે છે. ભવને નાશ થતા ભવાયુષ્ક નિયમથી જ છૂટી જાય છે-જીવની સાથે પરલેકમાં જતું નથી. જે ૨૧ અદ્ધાયુષ્કને સદ્દભાવ મન અને પંચેન્દ્રિય તિર્યમાં હોય છે. કેઈ કઈ જીવને તે ભવ નાશ પામવા છતાં તેને નાશ થતો નથી. વધારેમાં વધારે સાત આઠ ભવ સુધી તે અદ્ધાયુષ્કનો જીવની સાથે સંબંધ ચાલુ રહે છે. ભવાયુષ્કનો સદૂભાવ દેવો અને નારકોમાં જ હોય છે. તે ભવને નાશ થતાં તેને ( ભવા. યુષ્કને) પણ અવશ્ય નાશ થઈ જાય છે. કાલાન્તરે તે આયુષ્ક તે જીવોની સાથે જતું નથી, કારણ કે દેવભવથી ચવેલ દેવ ફરીથી દેવગતિમાં જ था ५० નથી અને નારક ગતિમાંથી ઉદ્ધત્તના (મરણ) પામીને કેઈપણ નારક ફરી નરકગતિમાં જ નથી. “ વિશે જો એ ઈત્યાદિ. પ્રદેશકમ અને અનુભાવકર્મના ભેદથી કર્મના બે પ્રકાર કહ્યા છે. જે કર્મના પ્રદેશરૂપ પુલનું જ માત્ર વેદન કરવામાં આવે છે-યથાબદ્ધ રસનું વેદન કરવામાં આવતું નથી, તે કર્મને પ્રદેશ કમ કહે છે. જે કર્મનું અનુભાવ રૂપે વેદના થાય છે તે કર્મને અનુભાવકર્મ કહે છે. કે ૨૨ છે આ અનુભાવ કર્મને યથાબદ્ધ રસ લેવામાં આવે છે. યથાશ્રદ્ધાયુષ્કકર્મ એટલે જેટલા કાળનું આયુ બાંધ્યું હોય એટલા કાળના આયુને ભેગવવું. એ વાત દે અને નારકમાં સંભવી શકે છે, કારણ કે તેઓ અનપવર્ષાયુષ્ક હોય છે. અસંખ્યાત વર્ષના આયુવાળા ભેગભૂમિના મનુષ્ય, તિર્યંચ અને ઉત્તમ પુરુષ તથા ચરમ શરીરી જ નિયમથી જ નિરુપકમ આયુવાળા હોય છે. પરંતુ સંખ્યાત વર્ષના આયુવાળા તિર્ય ચ, મનુષ્ય, અનુત્તમ પુરુષ અને અચરમ શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ १९७
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy