SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પગમન સ થારે કહે છે), અને જે મૃત્યુના અનભિલાષી બનેલ છે, એવાં મુનિજને બે દિશાઓ તરફ-પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સંથારો ધારણ કરનાર મુનિજનેએ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. એ સૂત્ર ૨૦ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના બીજા સ્થાનકને પહેલો ઉદ્દેશક સમાપ્ત. મે ૨–૧ છે દેવનારકાદિક કે કર્મબન્ધ ઔર ઉનકે વેદનાકા નિરૂપણ દ્વિતીયસ્થાનનો દ્વિતીય ઉદ્દેશક પહેલા ઉદ્દેશકમાં દ્વિવિધતા યુક્ત છવધર્મો અને અવધર્મોનું કથન કરવામાં આવ્યું છે. આ બીજા ઉદેશમાં માત્ર દ્વિવિધતા યુક્ત જ છવધર્મોનું કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને આ બીજા ઉદ્દેશકને પ્રારંભ કરવામાં આવ્યું છે પહેલા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પાપ ગમન સંથારાને ઉલેખ થયે છે. તે સંથારાને ધારણ કરીને કાળધર્મ પામનાર કેટલાક મુનિજનેને દેવત્વની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને અહીં દેવવિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે અને તેમના કર્મબંધ અને તેમના વેદનનું અહીં સર્વ પ્રથમ પ્રતિ પાદન કરવામાં આવે છે–“ જેવા ઢોલવન્ના વોરન્ના” ઈત્યાદિ ટીકાર્થ–ઉર્ધલેકમાં ઉત્પન્ન થતાં દેના બે પ્રકાર છે-(૧) કલ્પપપન્નક અને (૧) કપાતીત. તેમના બીજા નામ આ પ્રમાણે છે-(૧) કપપપન્નક અને (૨) વિમાને પપત્તક. સૌધર્મ આદિ બાર દેવલોકમાં ઉત્પન્ન થનારા દેવને કહપપપન્નક દેવો કહે છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા દેને વિનપપન્નક અથવા કપાતીત દે કહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૪૧
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy