SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદાનો સ્વીકાર કરીને તે મર્યાદાથી બહારના પ્રાણિ. ભૂત છે અને સર્વે માટે ક્ષેમકર (કલ્યાણ કરનાર) બનીશું, આ પ્રમાણે શ્રમ પાસકે કરેલી મર્યાદા બહાર રહેલા પ્રાણિની વ્રત ગ્રહણથી લઈને જીવન પર્યન્તને માટે હિંસાને ત્યાગ કરે છે. તે પછી તે આયુને આંગ કરે છે. તે પ્રાણિ જ્યારે આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ મર્યાદાથી બહારના પ્રદેશમાં ત્રણથી ઉત્પન થાય છે. ત્યારે તેના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યા ખ્યાન હોય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનને નિવિષય કહેવું તે ન્યાયયુકત લાગતું નથી, તેરા તત્વ ” ઈત્યાદિ ટીકાર્યું–ત્યાં સમીપવત દેશમાં જે ત્રસ પ્રાણી રહેલા છે, તેની હિંસા કરવાને શ્રમણોપાસકે વત ગ્રહણ કરવાના દિવસથી લઈને જીવન પર્યત માટે ત્યાગ કરેલ છે. તે પ્રાણ તે બસ આયુષ્યને ત્યાગ કરી દે છે. અને ત્યાંના સમીપના દેશમાં સ્થાવરપણુથી ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે અનર્થ (વિનાપ્રજન) દંડદેવાને ત્યાગ કરેલ છે. પરંતુ અર્થદંડ દેવાનો ત્યાગ કરેલ નથી. તેઓમાં ઉત્પન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહે વાય છે. તેઓ લાંબા કાળ સુધી સ્થિત રહે છે તેને શ્રમણોપાસકદંડદેતા નથી, તેથી તેના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં રહેવાવાળા જે ત્રસપ્રાણી છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યત જેની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓ પિતાના આયુષ્ય નો ત્યાગ કરીને તે દેશથી દૂર રહેલા કે પ્રદેશમાં રહેવાવાળા જે ત્રસ અને સ્થાવર પ્રાણું છે. જેને વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યન્ત દંડ દેવાને શ્રાવકે ત્યાગ કરેલ છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણિયેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સફળ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. શ્રમ પાસક તેઓની હિંસા કરતા નથી. તેથી જ શ્રમણે પાસકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણું છે. જેના સંબંધમાં શ્રાવકે પિતાના જીવનમાં અર્થદંડને ત્યાગ કરેલ નથી. અને અનર્થદંડને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાનું આયુષ્ય સમાપ્ત કરીને સમીપનાદેશમાં રહેલ ત્રસ પ્રાણિ પણાથી કે જેને દંડ દેવાનું શ્રાવકે વ્રતગ્રહણ ના સમયથી લઈને જીવન પર્યન્ત ત્યાગ કરેલ છે. તેમાં ઉત્પન્ન થાય છે. તે તેમના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેઓ પ્રાણું પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન ત્રસજીના અભાવના કારણે નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાય યુક્ત નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૨૩૫
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy