SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ “ લુઝ' ઈત્યાદિ દ્વારા કરવામાં આવેલ છે. આ રીતે આદિ અને અન્ત મંગલરૂપ હોવાથી પૂર્ણ થતષ્ક પણ મંગલ રૂપ જ છે એવું સૂચિત કરવામાં આવ્યું છે. અથવા “અથ શબ્દ અનન્તર-પછી એ અર્થમાં છે. તેને આશય એ છે કે-પંદરમાં અધ્યયન પછી, - પંદરમાં અધ્યયન પછી સર્વજ્ઞ અને સર્વદશી એવા ભગવાને બાર પ્રકારની પરિષદામાં આ પ્રમાણે કહ્યું છે, પૂર્વોક્ત પંદર અધ્યયનમાં પ્રતિપાદન કરેલ વિધી નિષેધ રૂ૫ અર્થોથી યુક્ત મુનિ ઇન્દ્રિયે અને મનનું દમન કરવાથી “વિ' દ્રવિક કહેવાય છે. દ્રવને અર્થ સંયમ, સંયમવાનને દ્રવી અથવા દ્રવિક કહે છે. અથવા “વિણ' ને અર્થ દ્રવ્ય એ પ્રમાણે છે. તેનું તાત્પર્ય એ છે કે-મેક્ષ ગમનને ચેાગ્ય હોવાથી દ્રવ્ય, અથવા રાગ દ્વેષ વિગેરે સઘળા મળોથી રહિત લેવાથી નિર્મળ સેનાની જેમ શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ નાન વિગેરે શારીરિક-શરીર સંબંધી સંસ્કારને જેઓએ ત્યાગ કરી દીધું છે. અને જે શરીરની મમતાને ત્યાગ કરી ચૂક્યા હોય તેઓ લ્યુટૂષ્ટ કાર્ય કહેવાય છે. જેઓ દ્રવિક અને “બુસૂટકાય હોય છે, તથા પૂર્વોક્ત અધ્યયનના અર્થની અનુસાર માગ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. તે માહન, અર્થાત્ “મા ફર” ત્રસ અને સ્થાવર જીવેને ન મારો એવા કથન અને કરણી વાળો હોય છે. અથવા નવ પ્રકારની “નવવાડ રૂપ” ગુપ્તિથી યુક્ત બ્રહ્મચર્યને ધારણ કરવાને હાવાથી બ્રાહ્મણ કહેવાય છે. (૧) તે શ્રમણ પણ કહેવાય છે. “સ” અર્થાત્ શ્રમણને અર્થ–બાર પ્રકારની તપશ્ચર્યામાં શ્રમ કરનાર એ પ્રમાણે છે. “મળે ની સંસ્કૃત છક્યા “મના એ પ્રમાણે પણ થાય છે. તેને અર્થ દયા યુક્ત મનવાળે એ પ્રમાણે થાય છે. અર્થાત પ્રાણીમાત્ર પર અનુકમ્પાની ભાવનાથી યુક્ત અથવા “મળે ની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy