________________ અન્વયાર્થ– સારી રીતે ધ્યાનયોગને ગ્રહણ કરીને પૂર્ણ રૂપથી કાયનો ત્યાગ કરે. અર્થાત્ શરીરને અકુશલ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બનવા ન દે. તિતિક્ષા અર્થાત અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગ સંબંધી સહિણુ પણાને ઉત્તમ સમજીને સમસ્ત કર્મોનો ક્ષય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું 'ત્તિ સેમિ' આ પ્રમાણે કહું છું. પારદા ટીકાર્ય–અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં કહે છે કે-ધ્યાન અથવા ચિત્તના વ્યાપારને નિરોધ (રોકવું) અથવા ધર્મધ્યાન વિગેરેમાં ચેગને ધારણ કરીને, અકુશળ વ્યાપારમાં પ્રવૃત્ત શરીરનો ત્યાગ કરવો. પિતાના હાથ પગ વિગેરે અવયવોને એ પ્રગ કરે કે કોઈ પણ પ્રાણિને જરા પણ પીડા ન થાય, તથા સહનશીલ પણાને સર્વોત્તમ માનીને જ્યાં સુધી સમસ્ત કર્મોને ક્ષય ન થઈ જાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું. કરવાનો આશય એ છે કે-સાધુએ ધ્યાન કેગનું અવલમ્બન કરીને મન, વચન અને કાયની પ્રવૃત્તિને રોકી દેવી તેમજ ઉપસર્ગ વિગેરેને સહન કરતા થકા કર્મ ક્ષય સુધી સંયમ પાલનમાં તત્પર રહેવું. સુધમાં સ્વામી જંબુસ્વામીને કહે છે કે- જંબૂ જે રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે તે જ પ્રમાણે મેં તમને કહેલ છે. 26 જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબોધિની વ્યાખ્યાનું આઠમું અધ્યયન સમાપ્ત 8-1 શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ 2 323