________________
છે. તે જ્ઞાનાવરણીય વિગેરે પાપ કર્મને દૂર કરીને છેવટે શરીરની અંદર તૂટેલા બાણની અણીની જેમ પડા પહોંચાડનારા બાકી રહેલા કને પણ નાશ કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે-મુક્તિમાં જવાને ગ્ય ભવ્ય જીવો સર્વ બંધનનો નાશ કરીને તથા પાપ કમને દૂર કરીને સંસારમાં સ્થિતિના કારણ રૂપ આઠ પ્રકારના કર્મોને હટાવી દે છે. ૧૧
જેનો આશ્રય લઈને મહાપુરૂષો કમરૂપ શલ્યને નાશ કરે છે, તે વિષય બતાવતાં સૂત્રકાર કહે છે કે-બનેવાડ યુવા ' ઇત્યાદિ
શબ્દાર્થ-બનેવાર્થે મુલ્લાચં-ન્યાયોવેતં વાચારમુ’ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને તીર્થકરેએ મેક્ષમાં લઈ જવાવાળા કહ્યા છે. “જાવાયા સમી-૩૫ારા સમીર” વિદ્વાન પુરૂષ જેને ગ્રહણ કરીને મોક્ષને માટે ઉદ્યોગ કરે છે. “મુળ મુગો સુવાસં-સૂચી મૂવો ટુવાવાર્ત' બાલવીય વારંવાર દુઃખ દે છે. “તણા તા બસુ-તથા–તથા વસુમ બાલવીર્યવાળે પુરૂષ જેમ જેમ દુઃખ ભોગવે છે તેમ તેમ તેને અશુભ જ વધે છે. ૧૫
અન્વયાર્થ–સમ્યગ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર તપને તીર્થકરોએ મોક્ષ માર્ગ કહેલ છે. વિવેકી પુરૂષ તે માર્ગનું અવલંબન કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે છે. બાલવીર્ય વારંવાર દુઃખ દેનાર હોય છે બાલ જી જેમ જેમ દુઃખ ભોગવે છે, તેમ તેમ તેના અશુભ વિચારે વધતાજ જાય છે. ૧૧
ટીકાર્ય–ન્યાયપિત જ્ઞાન દર્શન, ચારિત્ર અને તપ વિગેરે જે મોક્ષના માગે છે, તેનાથી યુક્ત હોય તે જ “નેતા’ છે. અથવા મૃત-ચારિત્રરૂપ ધર્મ કતા છે. કેમકે તે મોક્ષમાં કારણ છે, તે નેતા અથવા મક્ષ માર્ગનું તીર્થકર વિગેરે એ સારી રીતે કથન કરેલ છે.
તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દર્શન ચારિત્ર અને તપ અથવા શ્રત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મેક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થંકર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ મેક્ષ માર્ગને શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મોક્ષની ઈચ્છાવાળા પુરૂષો જ્ઞાન, ધ્યાન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉદટા બાલ વીર્ય–અજ્ઞાની વારંવાર દુખના કારણ રૂપ થાય છે. બાલવીર્યવાળા પુરૂષ નરક–નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુખે ભગવે છે, તેમ તેમ તેનું અશુભપણુ અર્થાત્ પરિણામેનું મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના સ્વરૂપને વિચાર કરવાવાળા મુનિ ધમ-ધ્યાનના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે.
કહેવાને આશય એ છે કે-સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષના માગે છે. આ પ્રમાણે તીર્થકરેએ ઉપદેશ આપેલ છે, તેથી જ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૩૦૫