SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળા ધર્મો નિર્વાણપ્રધાન ગણાય છે, એજ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર કરતાં અધિક જ્ઞાની અન્ય કઈ નથી ૨૪ ટીકાથ–સ્થિતિવાળા જેટલાં જીવો , તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં નિવાસ કરનારા દેવને સર્વોત્કૃષ્ટ રિથતિવાળા માનવામાં આવે છે. શાલિ (એક પ્રકારની ડાંગર) આદિની લવનકિયામાં–એક મુઠ્ઠી શાલિ આદિની કાપણી કરવામાં–જેટલો સમય લાગે છે, એટલા સમયને ‘લવ' કહે છે. સાત લવપ્રમાણ કાળને “લવસપ્તમ' કહે છે. અનુત્તર વિમાનવાસી દેને માટે આ સંજ્ઞા પ્રચલિત છે. તેનું કારણ એ છે કે જે તેમને સાત લવ પ્રમાણ અધિક આયુષ્ય મળ્યું હોત, તે તેઓ પિતાના શુદ્ધ પરિણામને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા હોત. પરન્તુ આયુની એટલી ન્યૂનતાને લીધે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહીં, અને તેમને અનુત્તર વિમાનોમાં દેવ રૂપે ઉત્પન્ન થવું પડ્યું. તેમની સ્થિતિ (આયુ કાળ) સૌથી વધારે હોય છે. જેમ સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, કારણ કે તે અનેક કીડાસ્થાનોથી યુક્ત છે, અથવા જેમ સઘળા ધર્મો મોક્ષપ્રધાન છે, કારણ કે કુમારચનિકે પણ પિતાનાં દર્શનને નિર્વાણરૂપ ફલ પ્રદાન કરનાર જ કહે છે, એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર કરતાં અધિક જ્ઞાની કેઈ નથી. તેઓ જ સર્વોટ જ્ઞાની છે. પારકા પૂવમે” ઈત્યાદિ– શબ્દાર્થ—“કોમે-gથિગ્રુપમાં ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીસરીખા બધા પ્રાણિયોના આધારભૂત હતા. પુરૂ-જુનતિ” તથા તેઓ આઠ પ્રકારના કર્મોને દૂર કરવાવાળા છે. “વિચરી-વાત્તવૃદ્ધિ ભગવાન બાહો અને આભ્યન્તર વસ્તુઓમાં વૃદ્ધિ-આસક્તિ રહિત હતા “ગાયુવને-ગાશુકશા' તેઓ શીવ્ર બુદ્ધિવાળા હતા “બ સંહિં શરૂ– સંનિધિ તિ” તેઓ ધનધાન્ય તથા ક્રોધાદિને સંપર્ક કરતા ન હતા “મુક-તમુતવત્ત સમુદ્રની જેમ “મgrોવં–મહામણોઘમ' મહાન સંસારને “તરિવંતરિવા” પાર કરીને મેક્ષગમન કર્યું હતું. અમચં–કમથકૂદ” ભગવાન પ્રાણિયાના અભય કરવાવાળા વીર-વીર એવા ભગવાન વાદ્ધમાન મહાવીરસ્વામી “અનંતવવૃ-ગરપક્ષ અનંતજ્ઞાનવાળા છે. એ ૨૫. સૂત્રાર્થ–ભગવાન મહાવીર પૃથ્વીના સમાન સમસ્ત પ્રાણીઓના આધાર છે, આઠ કર્મોને ક્ષય કરનારા છે, બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓની વૃદ્ધિ (લાલસા) થી રહિત છે, આશુપ્રજ્ઞ છે. એટલે કે સર્વત્ર સદા ઉપગવાન છે, કોઈપણ વસ્તુની સન્નિધિ (સંચય) કરનાર નથી, સમુદ્રના સમાન મહાન સંસાર પાર કરીને મોક્ષને પ્રાપ્ત કરનારા છે, અભયંકર અને અનન્ત જ્ઞાની છે. રપા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૪૨
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy