SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ–“માહિહિં-માળિયો' સમાધિગ અથત ધર્મધ્યાનથી “મા-અણ' શ્રેષ્ઠ પુરૂષ જ “તાહિં–રામિડ સ્ત્રિની સાથે “વંથલં-સંતત્તમ' પરિચય “કુવંતિ-નિત્ત” કરે છે, “તા-તમાકૂ' તે કારણે “મામvie સાધુ “ગથfuઆત્મહતા' પોતાના હિત માટે “ળિગાગો-સંનિષા સ્વિાના સ્થાનમાં “સતિસંન્તિ’ જતા નથી. ૧૬ સૂત્રાર્થ–જેઓ સમાધિયોગથી ભ્રષ્ટ છે–શિથિલાચારી છે, તેઓ જ સ્ત્રીઓની સાથે પરિચય કરે છે. આ વાતને બરાબર સમજી લઈને આત્મહિતા સાધવાની અભિલાષા રાખનાર પ્રમાણે સ્ત્રીના નિવાસસ્થાનમાં જવું જોઈએ નહી ૧૬ ટીકાથ–સમાધિ એટલે ધર્મધ્યાન. સમાધિને માટે મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને સમાધિયોગ કહે છે. જેઓ સમાધિગથી ભ્રષ્ટ છે, એટલે કે જેઓ શિથિલાચારી છે, તેઓ જ સ્ત્રીઓને સમાગમ સેવે છે. એવા પુરૂષો સમાધિગ (ધર્મધ્યાન) માં ચિત્ત પરવી શકતા નથી, તે કારણે તેમને પથભ્રષ્ટ (મેક્ષમાર્ગથી દૂર ફેંકાયેલા) કહી શકાય છે. શ્રમણે કદી પણ સ્ત્રિઓના નિવાસસ્થાનમાં જવું જોઈએ નહીં અને તેમને સંપર્ક સેવ જોઈએ નહીં. તેણે એ વાતને મનમાં વિશ્વાસપૂર્વક અવધારણ કરવી જોઈએ કે સ્ત્રિઓને સમાગમ નહીં કરવાથી જ પિતાના આત્માનું કલ્યાણ સાધી શકાશે. આ વાતને અંતઃકરણમાં કેતરી લઈને મોક્ષાભિલાષી સંત પુરૂષો સ્ત્રીઓના સંસર્ગને ત્યાગ કરે છે, તેમની સાથે વાર્તાલાપ પણ કરતા નથી અને તેમનાં નિવાસસ્થાનોમાં પ્રવેશ પણ કરતા નથી. આ પ્રકારે તેઓ સ્ત્રીના સંપર્કને સંપૂર્ણતઃ ત્યાગ કરે છે. ૧દા સિઓની સાથે પરિચય કરવાથી સાધુઓનું પણ પતન થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન થઈ ચૂકયું. હવે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે “શું દીક્ષા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૧૨
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy