SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર કી વિનાશશીલતા આદિ દેખનેવાલા મુનિ નરકાદિ ગતિ | કે ભાગી નહીં હોતા હૈ . જેનાથી આવી દઢ ખાત્રી થઈ ચુકી છે કે પૌદ્ગલિક હેવાથી આ શરીર ભિદરાદિધર્માત્મક છે, એનાથી આત્મકલ્યાણને માર્ગ સાધી શકાય છે, એટલે એને ઉપગ જરૂરથી કરી લેવું જોઈએ, ન જાણે ક્યારે એનું પતન થઈ જાય, આ સંસારમાં હું આજ રીતે પરિભ્રમણ કરતો ન રહું, એવા પ્રકારની પવિત્ર ભાવનાને વશ થઈ જે સકલ સાવદ્ય વ્યાપારોથી નિવૃત્ત બને છે તે રત્નત્રય રૂપ પિતાના આત્મસ્વભાવમાં રત બને છે, અને સંસાર શરીર તથા ભેગોથી સર્ષ જેમ ઉતારેલી કાચળીથી સદા દૂર રહે છે તે રીતે અલિપ્ત રહી પિતાની પ્રવૃત્તિને અહોરાત્ર વૈરાગ્યની ભાવનારૂપી પુટથી નિર્મળ બનાવતો રહે છે. એવા વિરત મુનિનું નરક-નિગેહાદિકમાં ગમન થતું નથી. આ સઘળા અભિપ્રાયને દિલમાં ધારણ કરી સૂત્રકારે “મુજેમાસ” આ સૂત્રનું અવતરણ કરેલ છે. તે કહે છે કે–“સમુક્ષમાચ' આ શરીર ભિદુરાદિધર્માત્મક છેઆ પ્રકારથી આ શરીરને સારી રીતે જેને અનુભવ થઈ ગયે છે, અને તેથી જ જે “gવાગતનત’– એકાયતનસ્વરૂપ રત્નત્રયમાં રત બનેલા છે બધા સાવદ્ય વ્યાપારોથી નિવૃત્ત કરાય છે આત્મા જેની સ્થિતિમાં, અથવા નિપુણ આચરણમાં ચહ્નવાળો બનાવી દેવામાં આવે છે આત્મા જેનાથી તેનું નામ આયતન છે. તે રત્નત્રયસ્વરૂપ છે. આ આત્માના નિજધર્મ છે. તેની સાથે આપવામાં આવેલ “” વિશેષણ એ બતાવે છે કે તેની જોડને કોઈ પદાર્થ દુનિયામાં છે જ નહિ. તે એક અસહાય સર્વોહૃષ્ટ ધર્મ છે. એકાયતનમાં જે તત્પર છે. અર્થાત્ રત્નત્રયની સારી રીતે આરાધના કરવામાં તત્પર છે તે એકાયતનરત છે. તથા “ફૂ’ શરીર, જન્મ અથવા સંસારમાં “વિત્રમુ ” પરિગ્રહ મમત્વાદિથી રહિત હોવાથી તે ક” વિવિધ પ્રકારથી “પ્ર’? પ્રકર્ષથી “ગુરુ”” વૈરાગ્ય ભાવનાથી શરીરાદિ પ્રત્યેની મમતાથી રહિત છે એવા સાવદ્ય વ્યાપારેથી રહિત મુનિને માગ–નરક નિગોદાદિકની ગતિ-આગતિરૂપ માર્ગ-હોતું નથી, કારણ કે વિરત-મુનિનાં તજજા. તીય કર્મ અથવા શરીરમાં આસક્તપણું ન હોવાથી નરકાદિ ગતિમાં તેનું ગમન થતું નથી, આ કારણે તેમને તે માર્ગ નથી. આ કથન મેં પિતાની બુદ્ધિથી કપેલું નથી, પરંતુ આ મેં ભગવાનના મુખેથી સાંભળ્યું છે એ બધું તમને કહ્યું છે. આ પ્રકારે સુધર્મ સ્વામીએ જમ્મુ સ્વામીને કહ્યું. એ સૂત્ર ૩ ચતુર્થસૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા | સાવદ્ય વ્યાપારથી વિરત મુનિ હોય છે, આ વાત કહીને હવે “જે એનાથી વિપરીત પિતાની પ્રવૃત્તિ કરે છે તે પરિગ્રહી છે. આ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે-“ચાવતી 'ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy