SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એ પિતાના મનમાં તે વખતે એવા પ્રકારને વિચાર કરે છે કે “આવા પ્રાણાતિપાતાદિક અકાર્ય તથા ગુપ્તરૂપથી પાપ કરવાવાળા મને કોઈ જોઈન જાય ?? આવી રીતે પ્રમાદ અને અજ્ઞાનના દોષથી તે નહિ કરવા ગ્ય ગુપ્ત પાપ કરે છે. અથવા–“ અજ્ઞાનત્રમોળ સત્તાં મૂહ” આ પ્રકારે પણ મધ્યમણિ ન્યાયથી “જ્ઞાનમયોપે'' આ પદને સંબંધ “મૂઢ' પદની સાથે કરવાથી એ અર્થ થાય છે કે તે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી નિરંતર પરમાર્થથી અનભિજ્ઞ બની સમસ્ત કર્મોનો ક્ષય કરવાવાળા શ્રુત-ચારિત્રરૂપ પિતાના આત્મધર્મને જાણ નથી. આવી વ્યક્તિઓની દશાનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે– “બાર્તાઃ”—ઈત્યાદિ. હે ભવ્ય! વિષયકષાયથી પીડિત એવી પ્રજ–પ્રાણી, કર્મકોવિદઆરંભ સમારંભાદિ કર્મોમાં નિપુણ હોય છે, ધર્મમાં નહિ. “પ્રશળ કાચતે રૂરિ પ્રજ્ઞા” આ વ્યુત્પત્તિ અનુસાર સમુપાર્જિત કર્મોના ઉદયથી જે વારંવાર ચતર્ગતિરૂપ સંસારમાં જન્મ ધારણ કરે છે તેનું નામ પ્રજા–પ્રાણી છે. જે અનારતા વિદ્યા ોિક્ષમાદૂ ) જે સાવદ્ય વ્યાપારોથી અનિવૃત્ત છે તે “અવિદ્યાથી જ સર્વ પ્રકારની મુક્તિ થાય છે” તેવું કહે છે. રત્નત્રયનું નામ વિદ્યા છે, આનાથી જે વિપરીત તે અવિદ્યા છે. ધર્મથી અનભિજ્ઞ અને કર્મબંધમાં કેવિદ પ્રાણી વિષયરૂપી સર્પના વિષથી કવલિત થઈ ભાવાવર્તરૂપ સંસારમાં અનુપરિવર્તન કરતે રહે છે. અનંતભવજનક કર્મોને આસવ અને બંધ કરીને આ સંસારમાં વારંવાર જન્મ-મરણ કરતે રહે છે. ચારિત્રના દેમાં ક્રોધાદિકની અધિકતાથી એકચર્યારૂપ દેષની પ્રધાનતા છે. એનાથી સાવઘવ્યાપારનું આચરણ થાય છે. આ આચરણથી વિરતિને અભાવ અને તેનાથી તેનામાં સુનિત્વનો ત્વને અભાવ આવે છે. મુનિ ધર્મનું પાલન ન થવાથી તે પ્રાણી ચિરકાલ સુધી જન્મ મરણ કરતો રહે છે. “રુતિ ત્રીમિ” આ પદેને અર્થ પહેલાની માફક છે. પાંચમા અધ્યયનને પહેલો ઉદેશ સમાસ ૫-૧ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy