SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞપ્રતિપાદિત ધર્મ જ સ્વાખ્યાત છે. એકાતસ્થાપક ન કોઈ હેતુ છે અને ન કેઈ દષ્ટાંત પણ મળે છે, જેના બળ ઉપર એકાત ધર્મની પ્રરૂપણ વાસ્તવિક સિદ્ધ થઈ શકે. હાંઅનેક ધર્માત્મક જ વસ્તુ છે. એની પ્રરૂપણના ખ્યાપક હેતુ અને દષ્ટાન્તાદિ ઉપલબ્ધ થાય છે. ભગવાને વચન બોલવાવાળા સાધુ માટે ભાષાસમિતિ પાળવાને પણ આદેશ આપે છે. “સ્તિ હોવાઃ નાસ્તિ સ્ટોઃ” ઈત્યાદિ વાદને માટે તૈયાર થયેલા વાદિ એ પિતાના અભિમત-તત્વનું પિતાની ઈચ્છાનુસાર હેતુ–દષ્ટાંતની સ્થાપનાથી સ્થાપન કરેલ છે અને પ્રતિવાદી જૈનસંમત તત્ત્વની નિરાકૃતિ નિમિત્ત દૂષણનું પ્રદર્શન કરેલ છે, એવા એમના પ્રદર્શિત હેતુ અને દષ્ટાંતનું નિરાકરણ અને પ્રદત્ત (આપેલ) દૂષણને પરિહાર કરતી વખતે પ્રતિવાદી મુનિને માટે ભાષાસમિતિનું પાલન જરૂરી છે. પરપક્ષનું નિરાકરણ કરતાં અથવા કઈ પ્રશ્નનો ઉત્તર દેવાને સમયે કયારેક જોશ આવી જવાથી વચનને સંયમ રહેતું નથી, તે પણ વિદ્વાન મુનિએ એ વાતને ત્યાં પણ ખ્યાલ રાખવું જોઈએ. ભાષાસમિતિને પરિહાર કરી પિતાના મૂળ ગુણમાં વિરાધના લાવવી એ વિદ્વાન મુનિનું કર્તવ્ય નથી. આ વસ્તુ સ્થિતિને ધ્યાનમાં રાખી સૂત્રકાર આદિત્તાત્રાધેત્તિ કવીન ? આમ કહે છે. નસિદ્ધાન્તાભિમત હેતુ અને દષ્ટાંતની સ્થાપનાથી અને પાખંડીઓ દ્વારા કહેવાયેલા દૂષણોના ઉત્તરથી તે પાખંડિઓની હાર થવાથી સ્વમતની સ્થાપના આપમેળે થઈ જાય છે–આ વચનવિષયની ગુપ્તિ છે. આમાં રહેવાવાળા સાધુએ વાકુ-સંયમથી જ ઉત્તર આપવા જોઈએ, ભાષાસમિતિની ઉપેક્ષા કરીને નહીં. આ પ્રકારેજ સૂત્રકાર પ્રદર્શિત કરે છે–વિદ્વાન વાદી મુનિ, પ્રતિવાદીને સંબોધિત કરી પૂછે કે આપના શાસ્ત્રમાં કૃત, કારિત અને અનુમોદનાથી ષડૂજીવનિકાયનું ઉપમન પ્રતિપાદિત થયેલ છે અને એ અપ્રતિષિદ્ધ હોવાથી આપને માટે સમ્મત છે; પરંતુ આપ વિશ્વાસ રાખો કે એ બધાં કુકૃત્ય છે, અને કરવાવાળા જેને નરક અને નિગેદાદિક દુઃખ આપનાર છે. આ કારણે અમારી દ્રષ્ટિમાં એ ઉપાદેય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૧
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy