SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ થવાથી હેતુ અનૈકાન્તિક થઈ જાય છે. કેમ કે સાધ્ય લેકથી વિરૂદ્ધ એલેકની સાથે પણ એ અસ્તિત્વરૂપ હેતની વ્યાપ્તિ વ્યાવૃત્તિવાળી થતી નથી. અનકાન્તિક હેતુ એ જ હોય છે જે પક્ષ સપક્ષમાં રહેવા છતાં વિપક્ષમાં પણ રહે છે. પ્રકૃ તમાં “ચત્તિ તસ્ટોઅહીં પર અસ્તિત્વરૂપ હેતુ પક્ષ લેકની સાથે રહેવા છતાં પણ વિપક્ષ અલેકમાં પણ રહે છે. કેમ કે ત્યાં લોકમાં સાધ્ય લોક અભાવ છે, બીજું આ જ કારણે એ હેતુ વિરૂદ્ધ પણ પડે છે. લેકને અભાવરૂપ સાધ્યને અભાવ અલક છે, એને સાધક એ હેતુ થાય છે–અલકાશમાં પણ અસ્તિત્વરૂપ હેતુ રહે છે. આ વાતને પ્રગટ કરવા માટે ટીકાકાર કહે છે કે લોક અને અલક આ બે વિભાગ એક આકાશ અસ્તિકાય દ્રવ્યના જ છે તો જે પ્રકારે લોકમાં “ત્તિ :” એવે વ્યવહાર થાય છે એ જ રીતે “ શો?” અલોકમાં પણ આ અસ્તિત્વવિશિષ્ટ વ્યવહાર થાય છે. એ આકાશનું “અસ્થિ રો-મયિકો વચન છે. આથી અસ્તિત્વ આ હેત લોક અને અલોક બનેમાં વ્યાપક છે. લેક અને અલેક બને એ અસ્તિત્વના વ્યાપ્ય છે. આ કારણે અસ્તિત્વ હેતુ બનેમાં સમાન રૂપથી રહેલ છે. આ હેતુથી અતિપ્રસંગ નામનું દુષણ આવે છે. કેમકે અસ્તિત્વ હેતના સદુભાવથી લોક પણ અલોકરૂપથી અને અલેક લોકરૂપથી આપાદિત કરી શકાય છે. કારણ કે લોક જે પ્રકારે અસ્તિત્વનો વ્યાપ્ય છે અને તે પિતાની વ્યાપકભૂત સત્તાથી સમન્વિત છે. એજ રીતે અલેક પણ અસ્તિત્વને વ્યાપ્ય છે અને એ પણ એવી સત્તાથી સમન્વિત છે, આથી સત્તાનું એકત્ર થવાથી લોકમાં પણ અલેકપના આપાદિત કરી શકાય છે. આ રીતે અલકમાં પણ લોકપના આપાદિત થઈ શકે છે અને એ પણ આ પ્રકારથી કે અલોકના અભાવરૂપ લોક અસ્તિત્વના વ્યાખ્યપનામાં રહે છે. આ કારણે અલકમાં લેકત્વને પ્રસંગ થઈ શકે છે, કેમકે લેકત્વરૂપ વ્યાપ્યના સભાવમાં વ્યાપક જે અલોકનું અસ્તિત્વ છે એને પણ નિયમથી ત્યાં સદ્ભાવ દેખાય છે. ત્યારે લેક અલોક અને અલોક લોક થઈ જશે. આ પ્રકારની અનિષ્ટપત્તિ થવાથી કાંઈ પણ વ્યવસ્થા નથી થઈ શકતી. તથા–લોક અને અલોકની અપેક્ષાથી અસ્તિત્વમાં વ્યાપકતા માનવાથી જનદત્ત અને જીનદાસ વગેરે વ્યક્તિઓમાં પણ લેકત્વ અને અલેકત્વની આપત્તિ આવી જશે. કેમ કે બન્નેની સત્તાને ત્યાં સદ્ભાવ છે. વ્યાપ્ય જીનદત્ત આદિ વ્યક્તિને લેકરૂપ એ કારણે માનવી જોઈએ કે એનામાં લેકનું જે વ્યાપક અસ્તિત્વ છે એને સભાવ છે, તથા અલેકનું વ્યાપક જે અસ્તિત્વ છે એને પણ સદ્ભાવ છે. - તથા—જે અસ્તિત્વરૂપથી લેકની સિદ્ધિ થાય છે તે કઈ એ પણ પ્રશ્ન કરી શકે છે કે અસ્તિત્વરૂપ હેતુ જ્યારે સ્વયં અસ્તિરૂપ છે તે એને પણું અસ્તિત્વવિશિષ્ટ હોવાથી લેકત્વાપત્તિ આવશે અર્થાત્ એ સ્વયં લેકરૂપ બની જશે. તેમજ હેતુ અને સાધ્યમાં લોકરૂપપણાથી એકત્વાપત્તિ આવી જવાથી શ્રી આચારાંગ સૂત્ર ૩ २२७
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy