SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગભરાતા નહીં, પણ ધીર વીરની રીતે તેવા કષ્ટોને ક્ષોભવિના શાંતિભાવથી સહન કરો. “તિ દ્રવી”િ આ પદેની પહેલાની માફકજ વ્યાખ્યા સમજવી જોઈએ. ભાવાર્થ–એકાકીવિહાર કરવાવાળા સાધુ એ જ હોય છે જે જીતેન્દ્રિય હોય છે, ઉપસર્ગ અને પરિષહેથી જે કદિ પણ વિચલિતચિત્ત થતા નથી. એમના અનેક પ્રકારના નિયમો હોય છે, તેઓ એવી કોઈ પણ પ્રવૃત્તિ નથી કરતા કે જેનાથી સાધુમર્યાદાને ભંગ થાય. આહારને માટે જ્યારે તે નીકળે છે ત્યારે ભલે અન્તપ્રાન્ત હોય, ગમે તેવું કેમ ન હોય, જ્યાં પણ તેને શંકાદિક એષણાના ષોથી રહિત આહાર મળી જાય અથવા સર્વેષણથી જે પરિશુદ્ધ હોય તેને કલ્પ સમજીને તે લઈ લે. એ ભલે સિંહ કેશરમોદકાદિક હોય ચાહે બલચણકાદિકથી બનેલ અને ખાટી છાશ આદિથી મિશ્રિત હોય. તેમાં તેને કોઈ પણ જાતને પક્ષપાત થતું નથી, આહારના વિષયમાં તેની આવી શુદ્ધ નજર રહે છે કે કાંઈ પણ મળે, પણ તેને શાવિધિ અનુસારે જ ગ્રહણ કરીશ. શિષ્યોને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે આ એકાકીવિહારમાં સાધુને અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિને સામને કરવો પડે છે. ક્યારેક ક્યારેક તે એ પણ પ્રસંગ આવે છે કે સ્મશાન આદિમાં પહોંચતાં સાધુના ઉપર ભયંકર પિશાચાદિ પ્રાણીઓના ઉપસર્ગ થાય છે, પરંતુ તે ધીરવીર સાધુ એનાથી કઈ વખત ગભરાતા નથી, અને સહર્ષ એવા પરિષહ ઉપસર્ગને જીતીને પિતાના સંયમની રક્ષા કરે છે. છઠ્ઠા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૬-ર છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૧
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy