SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ગરદન પકડી મરડી નાખે” આ પ્રકારે એને દુઃખિત કરે, લાકડી કે હાથથી માર મારે, વાળ પકડીને કેઈ ઢસરડે, અથવા લેચે, તો પણ સાધુએ વિચારવું જોઈએ કે “મમ પૂર્વકૃતવર્માને તિનું_આ ઉપસર્ગ મારા પૂર્વકૃત કર્મોના ફલ સ્વરૂપ છે. આમાં તેને કોઈ અપરાધ નથી. આ રીતે જ્યારે એના ઉપર એ પૂર્વોક્ત વાતે પ્રતિકૂળ પરિષહના રૂપમાં આવે છે, અથવા સત્કાર, પુરસ્કાર આદિ અનુકૂળ પરિષહરૂપમાં આવે છે તે એ સમય એણે એ વિચાર કરીને કે આ બધી વાતે “મોક્ષમાર્ગની પ્રતિબંધિકા છે તેને ખુશીથી સહી લેવું જોઈએ. ભલે અનુકૂળ પરિષહ હોય, ચાહે પ્રતિકૂળ પરિષહ હાય, ચાહે કઈ ઉપસર્ગ કરે કે સત્કાર કરે. બધી અવસ્થાઓમાં મુનિઓએ સમભાવ રાખે જોઈએ. આ રીતે જે અચેલરૂપ (અપ વસ્ત્રસામાન્ય વસ્ત્ર) અથવા યાચનાદિરૂપ પરિષહ જે લજજારૂપ છે અને શીત, ઉષ્ણ આદિ અલજજારૂપ છે આ બને પરિષહોને પણ સમભાવથી યુક્ત થઈ એણે સહન કરવા જોઈએ. ત્યારે જ કર્મોને નાશ થશે. (સૂ૦૪) પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા 1 / સમ્યગ્દષ્ટિ મુનિ પરીષહપ્રયુક્ત સભી | દુચિન્તાકા પરિત્યાગ કર પરીષહોંકો સહે ! સારી રીતે પ્રાપ્ત છે દર્શન જેને તેનું નામ સમિતિદર્શન એટલે સમ્યગ્દષ્ટિ છે. તે પરિષહપ્રયુક્ત ખરાબ ચિંતનને ત્યાગ કરી સઘળા પરિષહોને સહે. તે પરિષહાને સહન કરતી સમય કદી પણ તેને આ રૌદ્રરૂપ પરિણામ નહિ કરવું જોઈએ, શાંતિ અને સમતાથી તેને સહવું જોઈએ. (સૂ૦૫) ષષ્ઠ સૂત્ર ઔર છાયા / પ્રવ્રજ્યાકો કિસી દુષ્પરિસ્થિતિમેં નહીં ત્યાગતા, એસા મુનિ હી નિર્ઝન્ય હૈ શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જે અનાગમનધર્મો છે–ધારણ કરેલ મુનિવ્રતરૂપ પ્રતિજ્ઞાના ભારને વહન કરવાને સ્વભાવવાળા શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૮
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy