SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છે, સંશયાત્મા પ્રાણી મોહનીયના ઉદયથી યુક્તિસિદ્ધ પદાર્થમાં પણ મુગ્ધ બની જાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ પદાર્થ યુક્તિસિદ્ધ એટલે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત છે, તપ અને સંયમ પણ જીનેન્દ્રદેવે જ બતાવેલ છે તો પણ સંદેહશીલ મનુષ્ય આમાં પણ સદેહ કરતા દેખાય છે. અધિક શું કહેવું? સંદેહશીલ મનુષ્ય જીવાદિક પદાર્થોના અસ્તિત્વમાં પણ સદા સંદેહ કર્યા કરે છે. સુખાધિગમ, દુરધિગમ, અને અનધિગમને ભેદથી ત્રણ પ્રકારે અર્થ થાય છે, જેની શ્રોત્રાદિ ઈન્દ્રિયે પિતાના વિષયભૂત પદાર્થના વિષય કરવામાં અનુપહત (અખંડ) છે. એવા મનુષ્ય-આદિને શબ્દાદિક અર્થને પ્રત્યક્ષ સુખપૂર્વક-કોઈપણ જાતની રૂકાવટ વગર સારી રીતે થાય છે. જેની ઈન્દ્રિય-શ્રોત્રા. દિકોમાં કેઈ દોષ છે અને એને પ્રત્યક્ષ દરધિગમ-ભારે કષ્ટથી થાય છે. જે બહેરા આદિ છે તેને શબ્દાદિક પદાર્થોને અનધિગમ થાય છે, અનધિગમ કોઈ વસ્તુ નથી આ માટે એમાં તે સંદેહ થતું જ નથી. સંદેહ વસ્તુમાં થાય છે જે અથવા–“વિત્તિળિછ”-એની સંસ્કૃત છાયા ‘વિજ્ઞSTણા પણ થાય છે. જેને અર્થ એ થાય છે કે વિદ્વાન મુનિઓ કે જેઓ સંસારની અસારતાથી સારી રીતે પરિચિત બની ચૂક્યા છે, જેઓએ સારી રીતે સાંસારિક પ્રત્યેક પદા નું વાસ્તવિક સ્વરૂપ જાણી લીધું છે, તેઓની નિંદા ધૃણા કરવાવાળા અન્યમતી નીચે ત્રાદિકના બંધક થાય છે અને રત્નત્રયરૂપ સમાધિની પ્રાપ્તિના લાભથી તે સદા વંચિત બની રહે છે. રત્નત્રયરૂપ સમાધિને પ્રાપ્ત કરવાવાળા કેવા જીવ હોય છે–આ પ્રગટ કરવા માટે ટીકાકાર “સિતા” ઇત્યાદિ સૂત્રાશની વ્યાખ્યા કરે છે. કોઈ એક લઘુકમી સંસારી જીવ છે કે શબ્દાદિક વિષયેના અનુરાગથી અને પુત્રાદિકોના સ્નેહથી તેમાં મોહિત બની રહે છે, તેના મમત્વમાં ફસી રહે છે તે પણ લઘુકમી -કર્મ અલ્પ-હોવાથી તે તીર્થકર અને ગણધરાદિ એ કહેલ ઉપદેશનું અનુસરણ કરે છે, એ જ રીતે જે કોઈ એક સંશયવિહીન હોય છે તે પંચેન્દ્રિયોના વિષયો અને પુત્ર અને પત્નિના અનુરાગથી વિમુખ બની અણગાર અવસ્થા–સંપન્ન બને છે અને તીર્થંકરાદિપ્રણીત ઉપદેશ અનુસાર પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. આચાર્યું બતાવેલ માર્ગ અનુસાર જે પ્રવૃત્તિ કરે છે એને સમ્યક્ત્વને લાભ થાય છે. આ વાતને “અનુદ્દિ ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે. આચાર્ય દ્વારા અપાયેલા ઉપદેશને અનુરૂપ ચાલે છે તેને રત્નત્રયરૂપ સમાધિને લાભ થાય છે. અને તેના દ્વારા એ તરફ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરાયેલ બીજી વ્યક્તિ પણ જે સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિશીલ વ્યક્તિઓનું અનુસરણ કરતા નથી અને પિતે પણ કરતા નથી, તે સર્વ વિષયની વિરતિરૂપ વૈરાગ્યને ધારણ કેમ કરી શકતા નથી? અર્થાત–અવશ્ય ધારણ કરી શકે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૯
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy