SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાષ્ટિ જીવને સર્વ પ્રથમ ઉપશમસમ્યક્ત્વ થાય છે. આ જીવ મિથ્યાત્વ કર્મના ૩ ત્રણ પુંજ નથી કરતા, તેમજ મિથ્યાત્વના ક્ષય પણ નહિ. (ર) ઉપશમસમ્યક્ત્વથી જુદા પડી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ જીવને અંતરાળ સમયમાં ઓછામાં ઓછું ૧ એક સમય અને વધારેમાં વધારે ૬ છ આવલીકાળ સુધી સાસ્વાદન-સમ્યક્ત્વ રહે છે. (૩) ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના નાશ અને અનુદિત મિથ્યાત્વના ઉપશમ, એ એ અવસ્થાઓથી મિશ્રિત ક્ષાયેાપશમિકસમ્યક્ત્વ છે. (૪) આ સમ્યક્ત્વમાં ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના વિનાશ ક્ષય થાય છે, અને અનુદીણું મિથ્યાત્વનો ક્ષય નથી; પણ એનું પરિણમન મિશ્રપ્રકૃતિના રૂપમાં છે, અને તેના અહીંયા ઉપશમ છે. આ પ્રકારે સમ્યક્ત્વપ્રકૃતિના પુંજ પણ જે અનુદીણું છે તે પણ ઉપશમ અવસ્થામાં છે. આ વાત પણ શ્ર્લાકમાં આવેલ “ચ” શબ્દથી પ્રગટ છે, માટે ‘ જે ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશ્ચમ-સમ્યક્ત્વ છે ' એવી રીતે જે ક્ષાયેાપશમિકસમ્યક્ત્વનું લક્ષણ કહ્યું છે, તે પણ સુટિત થઈ જાય છે, કારણ કે આ ઠેકાણે મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય પ્રકૃતિયાના અનુદીણું પુંજ ઉપશમ અવસ્થામાં રહે છે, એવ' ઉીણું મિથ્યાત્વના ક્ષય છે અને સમ્યક્ત્વપ્રકૃતિના કળિના વમાનમાં ઉદ્દય થાય છે. પ્રકારાન્તરથી પણ સમ્યક્ત્વ દશ પ્રકારના છે, તે સ્થાનાંગ આદિ સૂત્રમાં વર્ણિત છે. જેમઃ-(૧) નિસરૂચિ, (૨) ઉપદેશફિચે, (૩) આજ્ઞાચ, (૪) સૂત્ર રૂચિ, (૫) બીજરૂચિ, (૬) અધિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સક્ષેપરૂચિ, (૧૦) ધ રૂચિ, જ નિસ નામ સ્વભાવનુ છે; સ્વભાવથી જ જે જીવને જીનેાક્ત તત્ત્વામાં રૂચિ-અભિલાષા થાય છે તેને આ સમ્યક્ત્વ થાય છે. અર્થાત્—સ્વભાવથી જ જીવની રૂચિ જેના દ્વારા જિનકથિત તત્ત્વોમાં થયા કરે છે, તે નિસરૂચિ છે (૧). ગુર્વાદિકના ઉપદેશથી તત્વામાં જે રૂચિ જીવને માટે પેદા કરવામાં આવે છે તેનુ નામ ઉપદેશચિ છે (ર). સČજ્ઞ વીતરાગ પ્રભુના વચનામાં જે રૂચિ જીવની થાય છે તેને આજ્ઞારૂચિ કહે છે (૩). આચારાંગ આદિ અગપ્રવિષ્ટ એમ જ આવશ્યક, દશવૈકાલિક, આદિ અંગમાહ્યો દ્વારા તત્ત્વામાં જીવની જે પ્રીતિ–શ્રદ્ધા કરાવામાં આવે છે તે સૂત્રરૂચિ નામનું સમ્યક્ત્વ છે (૪). જેવી રીતે એકજ બીજથી અનેક લેાની ઉત્પત્તિ થાય છે એ પ્રકારે એક જ વચનથી અનેક પદાર્થોની જે પ્રતીતિ થાય તેનુ નામ ખીજ છે, તેનાથી જે જીવને તત્ત્વામાં રૂચિ જાગૃત થાય છે તેનું નામ બીજરૂચિ છે (૫). વિશિષ્ટ જ્ઞાનને અધિગમ કહે છે. એના દ્વારા જે જીવને તત્ત્વામાં રૂચિ થાય છે એને અધિગમરૂચિ કહે છે. (૬) સંપૂર્ણ નયાના દ્વારા સકલ દ્વાદશાંગનું પર્યાલાચન કરવું તેનું નામ વિસ્તારરૂચિ છે, એના દ્વારા જીવની રૂચિ તત્ત્વમાં પરિવર્ધિત કરવામાં આવે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬ ૩
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy