SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેવી રીતે મેઘની ધારા જળમાં અને સ્થળમાં સમાન રૂપથી વરસે છે તેને એવો પક્ષપાત થતો નથી કે મારે આંહી જ વરસવું અને ત્યાં વરસવું નહિ. એવા પ્રકારની નિરપેક્ષ વૃત્તિથી તે એકરૂપથી મેઘધારા વરસે છે. તેવા પ્રકારે ભગવાનના ઉપદેશમાં પણ ભેદભાવની વૃત્તિ હોતી નથી કે “આ પુણ્યાત્મા છે માટે તેના માટે મારો આ ઉપદેશ છે, અને આ પાપી છે માટે તેના માટે મારો આ ઉપદેશ નથી.” પુણ્યાત્માથી લઈને પાપાત્મા સુધી અને ધનવાનથી લઈને કઠીયારા સુધી, રાજાથી રંક સુધી દરેકને માટે પ્રભુનો ઉપદેશ એક રસથી સરખે જ હોય છે, તો પણ ઉપદેશકનું કર્તવ્ય છે કે તે તે ઉપદેશને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અનુસાર શ્રોતા એને સંભળાવે, તે ઉપદેશકની જ કુશળતા છે. અન્યથા તે તેવા ઉપદેશથી પિતાની જ હાનિ કરવાવાળા બની જાય છે. જેવી રીતે રાજસભામાં બેસીને ધર્મોપદેશ દેનાર ઉપદેશક પહેલાં એ વાતને પિતાના મનમાં નિર્ણય કરી લે કે આ રાજા અભિગૃહતમિથ્યાષ્ટિ છે અગર અનભિગૃહતમિથ્યાદષ્ટિ છે? પછી પિતાના ઉપદેશનો પ્રવાહ ચલાવે. વગર વિચાચે જે ઉપદેશ આપવા માંડશે તે તેમાં તેને અનેક કષ્ટોનો સામનો કરવો પડશે. ઉપદેશમાં કદાચ કઈ પણ પ્રકારથી રાજાની શાનની વિરૂદ્ધ કોઈ શબ્દ તેનાથી નિકળી જાય, અથવા રાજધર્મ પ્રતિપાદનમાં કઈ એવી વાત આવી જાય છે તેની પ્રતિષ્ઠાની વિરૂદ્ધ પડે છે તે તેનાથી રાજા પિતાનું અપમાન સમજી તેવા ઉપદેશકને પ્રાણઘાત પણ કરી નાંખે છે. કદાચ એવું ન પણ કરે તે તેને દંડ કરે છે, કેરડાથી માર મારે છે. આ બ્લેકમાં રાજવિરૂદ્ધ વાત પ્રગટ કરવામાં આવી છે. જેમ दशसूनासमश्चक्री, दशक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥ १ ॥" આ પ્રકાર રાજનિંદાસૂચક ઉપદેશ કદાચ ઉપદેશક રાજસભામાં બેસીને કરે તેથી રાજાના હૃદયમાં અપાર કષ્ટ થશે. તેવા ઉપદેશથી મુનિ રાજાના ક્રોધને ભગ બનશે. રાજા એવું સમજી લેશે કે આ મુનિ સર્વ ધર્મથી બાહ્ય છે, રાજધર્મ શું છે? તે પણ આ જાણતા નથી. અરે ! જ્યારે આ નીતિધર્મ સુધી પણ જાણતા નથી તે મેક્ષધર્મની વાત જ શું કરવી? આ બિલકુલ જડ– અબુધ છે, આવી વ્યક્તિઓના અસ્તિત્વની શું આવશ્યક્તા છે? આવા પ્રકારે રાજા દ્વારા ઉપેક્ષિત બની યષ્ટિ–મુષ્ટિ આદિ જન્ય અનેક કષ્ટોને ભેગવતાં તે મુનિને ત્યાંથી હાંકી કાઢે છે, અગર કારાગારમાં મોકલી દેવામાં આવે છે. તેના વસ્ત્રો પણ આંચકી લેવામાં આવે છે. તેના શરીરનું છેદન કરી તેને પ્રાણ પણ લઈ લેવામાં આવે છે. માટે જ ઉપદેષ્ટાનું એ સર્વપ્રથમ કર્તવ્ય છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને સારી રીતે વિચાર કરી પોતાના ઉપદેશને પ્રવાહ ચલાવે. એ ઉપદેશ ન આપે કે જેનાથી પિતાને અનેક કષ્ટને સામને કરવું પડે અને પ્રાણ પણ ગુમાવે છે સૂ. ૮ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૩
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy