SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પરતીર્થિઓને ઉપદેશ મિથ્યા તેટલા માટે છે કે તેઓના ઉપદેશથી જીવોની સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. તેનું કારણ એ છે કે તેઓ પિતે તેવા સાવદ્ય વ્યાપારથી વિરક્ત બનેલ નથી. હણવું, છેદવું, ભેદવું, લુમ્પન, અને વિલુમ્પનાદિક અનેક અકૃમાં તેઓની પ્રવૃત્તિ બની રહે છે. દંડાદિકથી તાડન કરવાનું નામ હણવું છે. આ ક્રિયાને કર્તા હોવાથી તે કર્તા હણનાર કહેવાય છે. તલવાર આદિથી વિદારણ કરવાનું નામ છેદન છે, ભાલા વિગેરેથી ભેદવું તેનું નામ ભેદન, ગાંઠ વિગેરેનું છેદવું તેનું નામ લુખ્ખન અને આક્રમણાદિક કરવાનું નામ વિલમ્પન તથા પ્રાણાતિપાત આદિ કરવાનું નામ અપદ્રાવણ છે. આ બધી ક્રિયાએને કર્તા બનવાથી તે છેત્તા, ભેત્તા, લુમ્પયિતા, વિલુપ્પયિતા અને અપદ્રાવયિતા કહેવામાં આવે છે. આવી કિયાઓના કરવામાં તેઓની પ્રવૃત્તિ તેટલા માટે થાય છે કે તે એ વિચાર કરે છે કે આ કામની ચિકિત્સા પૂર્વમાં કેઈએ કરેલ નથી, અમે તે કરીશું. આવા પ્રકારની માન્યતાથી પ્રેરિત થઈને તે જેના માટે ઉપદેશ કરે છે તે અને સ્વયં ઉપદેષ્ટા એ બને પૂર્વોક્ત હનન અને છેદનાદિક વ્યાપાર કરે છે, માટે કરનાર, કરાવનાર તથા તેની અનુમોદના કરનાર પણ અજ્ઞાની માનવામાં આવે છે. અર્થાત્ એવા જીનું જ્ઞાન ફક્ત શાબ્દિક જ છે. માટે જેવી રીતે સપને સંસર્ગ સર્વથા ત્યાજ્ય હોય છે, તે પ્રકારે આવા અજ્ઞાની જીવોને સંસર્ગ પણ સદા છોડવા યોગ્ય શાસ્ત્રકારોએ બતાવેલ છે, માટે તેને અવશ્ય છેડી દેવો જોઈએ. આથી સાર એ નિકળે છે કે પરતીર્થિઓને ઉપદેશ શબ્દાદિક-વિષય-કષાયથી કલુષિત હોવાથી, તથા હણવું આદિ સાવધ વ્યાપારની પ્રવૃત્તિને જનક હોવાથી સદા હેય-ત્યાજ્ય છે. જેવી રીતે તેઓને ઉપદેશ હોય છે, તે પ્રકારે મારે ઉપદેશ નથી. કારણકે આ જે ઉપદેશ આપવામાં આવેલ છે તે સાક્ષાત વીતરાગ પ્રભુના મુખેથી સાંભળેલે જે છે તેજ આપવામાં આવેલ છે. મનકલ્પિત નહિ. જે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના અગાર-ઘરથી રહિત છે, તથા શબ્દાદિક વિષયના કટુક ફળથી પરિચિત છે એવા સંયમી મુનિ કેઈ વખત પણ આ પ્રકારથી કામની ચિકિત્સાને ઉપદેશ દેતા નથી, તેમજ તેનું કારણ પણ બનતા નથી. “તિ ઘવી”િ આ પદની વ્યાખ્યા પહેલાં આપવામાં આવેલ છે. સૂત્ર ૧૧ | આચારાંગસૂત્રના બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ સમાપ્ત ૨–૫. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૬
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy