SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્ય મેં ઉપભોગ કે લિયે પદાર્થો કે સંગ્રહમેં પ્રવૃત ગૃહસ્થોં કે બીચ સંયમારાધનમેં તત્પર અનગાર કો કિસ પ્રકાર રહના ચાહિયે . જે નિર્મળ ચારિત્રના આચરણમાં ઉસ્થિત છે અર્થાત્ નિર્દોષ ચારિત્રના આરાધન કરવામાં જે સારી રીતે પ્રયત્નશીલ છે તેનું નામ સમુસ્થિત છે. જેને અગારઘર નથી તેનું નામ અનગાર છે. અગારના બે પ્રકાર છે. એક દ્રવ્ય–અગાર અને બીજે ભાવ-અગાર. અનગાર આ બંને પ્રકારના અગારોથી રહિત હોય છે. જે હેય ધર્મોથી સદા દૂર રહે છે તેનું નામ આર્ય છે. આર્ય–કૃતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવા યોગ્ય હોય છે. અથવા વિષયકષાયરૂપ કાષ્ઠના છેદક હોવાથી આરાકરવતના સદશ રત્નત્રયરૂપ ધર્મને જે પ્રાપ્ત કરે છે તે આર્ય છે. અર્થાત્ જેની સકલક્ષ્મષ-પાપરાશિ થી કલુષિત પરિણતિ નથી તેનું નામ આર્ય છે. ઉત્તમ જેની મતિ છે. હેય અને ઉપાદેયના વિવેકથી જેનું અંતઃકરણ યુક્ત છે તેનું નામ આર્ય પ્રજ્ઞ છે. યુક્તિયુક્ત દેખવું એ જેને સ્વભાવ છે “આરંભજન્ય પાપને વિપાક ભયંકર કષ્ટપદ થાય છે. આ વાતને જે ભલીભાંતિથી જાણે છે, તેમજ સમજે છે તે આર્યદશી છે, સંસારથી પાર થવું અને તેમાં અધ:પતન થવું, એ બન્નેની વચમાં સન્ધિસમાન આર્યક્ષેત્ર, સારા કુળમાં જન્મ, ઇન્દ્રિયની પૂર્ણતા, શ્રદ્ધા, સંવેગ અને રત્નત્રયની પ્રાપ્તિરૂપ સંધિસ્થાન છે. જે આ પ્રત્યક્ષ પ્રતિભાસિત વાતને સારી રીતે જાણે છે, અથવા પ્રતિલેખન, પ્રતિકમણાદિ કિયાએના ઉચિત અવસરનો જે જ્ઞાતા છે, એ વાત “અ વિિતિ મદ્રાક્ષત્ર” આ પદથી પ્રદશિત કરવામાં આવેલ છે. આ પ્રકારના જે અણગાર છે તે અક૯૫નીય આહારાદિકને સ્વયં ગ્રહણ કરતા નથી, કારણ કે સદોષ આહારનું ગ્રહણ કરવું અણગાર માટે શાસ્ત્રમાં નિષિદ્ધ બતાવેલ છે. તેનું કારણ ષકાયના જીને આરંભ અણગારે પહેલાંથી જ છોડી આપેલ છે. તે સદોષ આહાર પિતે ગ્રહણ નથી કરતા. બીજાથી ગ્રહણ નથી કરાવતા, અને આ પ્રકારના આહાર ગ્રહણ કરવાવાળા અન્ય કેઈની અનુમોદના પણ નથી કરતા. અથવા “અરે નાહ નાથાવા” આ પદોની સંસ્કૃત છાયા “ન પત્ર બા ” એ પણ છે. એને અર્થ આ પ્રકારે છે. ઈંગાલ, ધૂમ આદિ પાંચ પ્રકારના દેશોથી દૂષિત આહારને ન સ્વયં કરે અને બીજાથી કરાવે નહિ, તથા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૫
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy