SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગ્યતા નથી, એ તે અમારી કલ્પના છે, જે અમે તેમાં સુખ શાન્તિ માની રાખેલ છે. જે જડ અને સ્થૂળ વસ્તુઓમાં સુખની કલ્પના કરીને સાધારણ મનુષ્ય પણ જીવતાડ પરિશ્રમ કરે છે. તેના પ્રાપ્તિ થવા છતાં પણ તેને સુખ મળતું નથી. કારણ કે તેમાં સુખ પ્રશ્નાન કરવાની શક્તિ છે જ નહિ. એટલા માટે આજ સારા સંસાર ભલે વૈભવસંપન્ન હાય અગર દરિદ્રાવસ્થાપન હેાય, દુઃખી જ છે. એ દુઃખ ત્યાં સુધી મટી શકતું નથી જ્યાં સુધી સુખનું વાસ્તવિક સ્વરૂપ હાથ ન લાગે, અગર તેના સ્થાનનું પૂર્ણ જ્ઞાન ન થાય. વાસ્તવિક સુખ શું છે? તેના એક માત્ર ઉત્તર છે–નિરાકુળતા, કારણ કે સંસારમાં જ્યારે કોઈ વખત ઇચ્છાઓના શાંત થવાથી જરાક સુખની અનુભૂતિ થાય છે ત્યારે તેથી એ વાતને અનુમાન કરવામાં આવે છે કે કાઇ એવી પણ અવસ્થા છે કે જે ઠેકાણે તેના પૂર્ણ રૂપથી વિકાશ છે, તે નિરાકુળતા સિવાય ખીજી કઈ અવસ્થા નથી. આ નિરાકુળતાનો પૂર્ણ ભાક્તા પરમાત્મા છે. તેનો અભિલાષી પ્રત્યેક સંસારી જીવ છે. આ અભિપ્રાયને હૃદયમાં રાખીને સૂત્રકાર કહે છે કે તેવુ જ્ઞાનીદ્દેિ પ્રત્યુપેશ્ય સાતમ્” હે ભવ્ય ! પ્રત્યેક જીવમાં વ્યક્ત અને અવ્યક્ત રૂપથી શાતારૂપ જે સુખ છે, તેની અભિલાષા છુપાયેલી છે, તે વાતના તું તારી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર. આ સૂત્રના અવતરણમાં જે સાતાવેદનીયજન્ય સુખના અભિલાષી પ્રત્યેક જીવને ખતાવવામાં આવ્યા છે, તે આ નિરાકુલતારૂપ સુખના પરંપરાકારણ હોવાથી પ્રકટ કર્યો છે, કારણ કે એ નિશ્ચિત સિદ્ધાંત છે–જે સાતાવેદનીય કર્મના ઉદયથી સાંસારિક વૈભવજન્ય સુખ પ્રાપ્ત થશે તે ક્ષણિક વિનશ્વર હશે, અને તેના ઉદય દુઃખોથી અન્તરિમ —છુપાયેલા હશે માટે એવા સુખથી આત્મા સાક્ષાત્ નિરાકુલતારૂપ પરિણતિનો સદા ભાક્તા બની શકતા નથી. હાં, સાંસારિક સુખની સામગ્રી કદાચ જીવાની પાસે છે, અને કદાચ તેના ચિત્તમાં હૈયેાપાદેયના વિવેક જાગ્રત છે તે તે તેના દ્વારા થાડા શેમાં સાંસારિક કાર્યથી નિરાકુળ અનીને શુભ ધાર્મિક ક્રિયાનું આરાધન ભલીભાંતિ કરી શકે છે. આ અવસ્થામાં તેના શુમ ભાવાની ક્રમશઃ જાગૃતિ થાય છે, અને તે તેને પરંપરાથી આત્મકલ્યાણકારી માર્ગોના અધિકારી બનાવી દે છે. જે ભવાભિનંદી છે અથવા જેકાઈ પ્રકારથી પોતાના સ્વાર્થ સાધવામાં જ મસ્ત છે પેાતાના સુખમાં જ બધાના સુખ સમાયેલા છે’ જે આવી દુર્ભાવનાને વાવી છે, “સાતાવેદનીયના ઉડ્ડયથી જેવા પ્રકારે ' શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૨
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy