SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દાંતના અથ માં રૂઢ છે. તે પણ અહિં સૂઅરનાં દાંત' એવા અથ લેવા જોઇએ. સૂઅરના દાંત માટે સૂઅરને ઘાત કરવામાં આવે છે. દાંત માટે હાથી આદિના, દાઢાને માટે શકર– ભૂંડ વગેરેના, નખ વગેરે માટે વાઘ આદિના, સ્નાયુને માટે ગાય આદિના, હાડકાં વગેરે માટે શખ આદિને, અસ્થિમજ્જા અર્થાત્, હાડકાંમાં રહેનારા એક પ્રકાર રસ માટે ભેસા--પાડા વગેરેના ઘાત કરે છે, આ પ્રમાણે કાઈ-ફાઈ પ્રત્યેાજન માટે ત્રસ જીવાની હિંસા કરે છે. અને કેાઈ-કાઈ પ્રયેાજન વિનાજ હિંસા કરે છે. કઈ-કઈ ‘આ વાઘ સ અને શૂકર–ભૂંડે તથા શત્રુઓએ અમને પીડા પહેાંચાડી હતી. અથવા અમારા આત્મીય. જનના (તેણે) વધ કર્યાં હતા.’ આ પ્રકારે દ્વેષ-વાસનાથી તેના ઘાત કરે છે. કોઈ માણસ એવા વિચાર કરીને કે- આ વાઘ આદિ, અથવા શત્રુ વમાન કાલમાં મને અથવા અમારાને મારે છે” તેથી તેના ઘાત કરે છે. કાઈ લેાક ‘આ વાઘ આફ્રિ અથવા આ શત્રુ મને અથવા અમારાને મારશે.? એવું વિચારીને તેને મારી નાંખે છે. આ પ્રમાણે લેાક ત્રસકાયની હિંસા કરે છે. | સૂ॰ ૭ || ઉપસંહાર આ પ્રમાણે ત્રસકાયના સમારંભને જાણીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રસકાયના આરંભ સર્વથા ત્યાગી દેવા જોઈએ-ત્યજી દેવા જોઇએ. એ આશયથી આ ઉદ્દેશકના ઉપસંહાર કરતા થકા કહે છે- ત્ય સંસ્થ’. ઈત્યાદિ. મૂલા—ત્રસકાયને વિષે શસ્રના સમારંભ કરવાવાળાને આ આરંભ અપરિજ્ઞાત ડાય છે. ત્રસકાયને વિષે શસ્રના સમારંભ નહિ' કરવાવાળાને આ આરંભ પરિજ્ઞાત છે. (જાણવામાં છે). બુદ્ધિમાન પુરૂષ તેને જાણીને પોતે ત્રસકાયમાં શસ્રના સમારંભ કરે નહિં ખીજા પાસે ત્રસકાયના શસ્રના સમારભ કરાવે નહિં અને ત્રસકાયમાં શસ્રના સમાર ંભ કરવાવાળાને અનુમેદન આપે નહિ, જે ત્રસકાયના સમાર'ભને જાણે છે. તેજ મુનિ છે. પરિસાતકર્મો છે. સૂ॰ ૮॥ ( ટીકા—ત્રસકાયના વિષયમાં પૂર્વાંકત (આગળ કહેલાં ) શસ્ત્રના વ્યાપાર કરવાવાળા ત્રણ કરણ અને ત્રણ ચેાગથી થવાવાળા સાવદ્ય વ્યાપાર કર્મ બંધનું કારણ છે.' એ પ્રમાણે જાણતા નથી. અને ત્રસકાયમાં પૂર્વોકત (આગળ કહેલાં) શસ્ત્રાના વ્યાપાર નદ્ઘિ કરવાવાળા પૂર્વેîકત (આગળ કહેલા) સાવદ્ય વ્યાપારીને સપરિજ્ઞાથી કમબંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના ત્યાગ કરી દે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૬ ૨
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy