SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આગમમાં પણ કહ્યું છે કે –“સર્વ જીવ જીવતા રહેવાની ઈચ્છા કરે છે, મરવાની ઈચ્છા કરતા નથી.” તે અકાયેલેકનું પાલન કરે અર્થાત્ રક્ષા કરે. સંયમી પુરૂષ સમસ્ત પ્રાણીઓના રક્ષક થાય છે. તે કોઈ પણ પ્રાણીને ભય ઉત્પન્ન કરતા નથી. સર્વ પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે. આ વચન પ્રમાણે તેની સર્વ પ્રાણીમાત્ર પર મિત્રતાની ભાવના હોય છે, તે કારણથી સંયમી તે જીવને ભય ઉત્પન્ન કરતા નથી, કેઈને પણ કેઈથી ભય ઉત્પન્ન કરાવતા નથી, પરંતુ તે સર્વ પ્રાણીઓની રક્ષા કરે છે. જો કે છદ્મસ્થ જીવેને સમસ્ત દ્રવ્ય અને પર્યાનું જ્ઞાન નથી; તે કારણથી તથા બુદ્ધિ, સંસ્કારથી રહિત હોવાથી અષ્કાયના જીવમાં અવ્યક્ત ચેતના હેવાથી, તથા જલ જીવ છે” એ વાત પ્રત્યક્ષ નહિ હોવાથી ઈન્દ્રિયો દ્વારા કેઈ વખત જાણવામાં આવતી નથી તે પણ સંપૂર્ણ તીર્થને ઉદ્ધાર કરવામાં સમર્થ તીર્થકરના વચનેને પ્રમાણુ માનીને અવશ્ય વિશ્વાસ કરવા જોઈએ. અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાની પણ પ્રથમ ભગવાનની આજ્ઞા પર શ્રદ્ધા રાખીને અપૂકાયના જીવને જાણ કરીને પ્રત્યક્ષજ્ઞાની થયા, એ માટે સંયમી પુરૂએ અપ્લાય આદિના જીવોની રક્ષામાં સાવધાન રહેવું જોઈએ. (સૂ. ૪) ભગવાનની આજ્ઞાથી અપૂકાયલકને જાણીને સંયમીનું જે કર્તવ્ય છે તે પ્રગટ કરે છે–તે મિ” ઈત્યાદિ. મૂલાથ–તે હું કહું છું–પિતે અપૂકાય લેકને અલાપ-(હેવા છતાં નથી કહેવું તે) ન કરે. આત્માને અ૫લાપ કરે નહિ. જે લેકને અપલાપ કરે છે તે આત્માને અ૫લાપ કરે છે. અને જે આત્માને અપલાપ કરે છે તે લેકને અપલાપ કરે છે. (સૂ. ૫) ટીકાથ–ભગવાનનાં વચને પ્રમાણે અષ્કાયનું સ્વરૂપ જાણવાવાળો હું કહું છે, અર્થાત મેં ભગવાનની પાસેથી જેવું સાંભળ્યું છે તેવુંજ કહું છું–પોતે અપકાય રૂપ લેકને અપલાપ કરે નહિ, અર્થાત્ એવું કહે નહિ કે -જલ જીવ નથી.” અસત્ આરોપને અભ્યાખ્યાન કહે છે, જેમકે અચૌરને ચીર કહે. અહિં “ઘી તેલ આદિ પ્રમાણે જલ એ જેનું ઉપકરણમાત્રજ હોઈ શકે છે, તે સ્વયં જીવ નથી, કારણ કે તે જીવનું ઉપકરણ છે, આ પ્રકારનું કહેવુંજ-અસત (મિથ્યા) અભિગ છે, કારણકે ઘોડા વગેરે જીવ પણ જીપકરણના રૂપમાં જોવામાં આવે છે. તેથી જલનું જીવપણું અ૫લાપ કરી શકાય નહિ. શકા–અજીવ પાણીમાં જીવપણાને આરેપ કરે તેજ અભ્યાખ્યાન શા માટે નહિ સમજવું ? શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૦૧
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy