SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ તત્વાર્થસૂત્રને અપ્રીતિ રાખવાથી તથા જ્ઞાનાત્યાશાતનાથી-સૂતાદિ જ્ઞાનની અથવા કૃતાદિજ્ઞાનશાળી પુરૂષોની અવહેલના કરવાથી તથા “બાળવિલવાણાનો જ્ઞાન અને અજ્ઞાની માણસને નિષ્ફળ બતાવતી ચેષ્ટા કરતા રહેવાથી, આ છે કારણથી જ્ઞાનાવરણકર્મ બંધાય છે. એવી જ રીતે દર્શનના દર્શનવાળાના તથા દર્શનના સાધનોની પણ પ્રત્યનીતા વગેરે છે, નવ પ્રકારના દર્શનાવરણ કર્મબંધનના કારણ હોય છે. એ જાણી શકાય છે. કારણ કે કારણભૂત અધ્યવસાય વિશેષ અર્થાત્ આત્માનું પરિણામ વિશેષ જે પ્રત્યાનીકતા વગેરે છે. એનાથી નવ પ્રકારના દર્શનાવરણ કર્મ બંધાય છે. અહીં ચક્ષુદર્શનાવરણ (૧) અચક્ષુદર્શનાવરણ (૨) અવધિદર્શનાવરણ (૩) કેવળદર્શનાવરણ (૪) આ ચાર આવરણ તથા નિદ્રા (૧) નિદ્રા-નિદ્રા (૨) પ્રચલા (૩) પ્રચલા-પ્રચલા (૪) અને ત્યાન (૫) એ પાંચ પણ ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શનના વિઘાતક હેવાથી દર્શન નાવરણ પદથી કહેવામાં આવે છે. આ રીતે દશનાવરણ કર્મ નવ પ્રકારના કહેવાય છે. અત્રે જ્ઞાનાવરણ કર્મ જ્ઞાન સંબંધી પ્રત્યનીતા આદિ છ કારણોથી બંધાય છે અને તે તે જ્ઞાનના આવરણ રૂપ પાંચ પ્રકારથી ભગવાય છે. આવી જ રીતે દર્શનાવરણ કર્મ દર્શન સંબંધી પ્રત્યનીતા વગેરે છ કારણોથી બંધાય છે અને ચક્ષુર્દશનાવરણ વગેરે ચાર અને નિદ્રા વગેરે પાંચ એવા નવ પ્રકારથી ભગવાય છે. ભગવતીસૂત્રના ૮ માં શતકના માં ઉદ્દેશકમાં કહ્યું છે–ભગવન! કયા કમના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે ? ગૌતમ ! જ્ઞાન પ્રત્યેનીકતા (દુશ્મનાવટ- વિધ)થી જ્ઞાનને અપલાપ કરવાથી જ્ઞાનસંપાદનમાં અન્તરાય નાખવાથી, જ્ઞાન સંબંધી પ્રષથી જ્ઞાનની અશાતના કરવાથી અને જ્ઞાન સંબંધી વિસંવાદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેજ કારણોથી દર્શનાવરણ કર્મ પણ બંધાય છે. તફાવત એટલે જ છે કે જ્ઞાન સંબંધી પ્રત્યેનીકતા વગેરેથી જ્ઞાનાવરણ અને દર્શન સંબંધી પ્રત્યનીતાથી દર્શનાવરણ કર્મ બંધાય છે. ફા 'असायावेयणिज्जं परदुक्खणयाइहिं' સૂવાથ–પરપીડન વગેરેથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. જો તત્વાર્થદીપિકા પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મબન્ધના કારણે વર્ણવવામાં આવ્યા હવે પાપ તત્ત્વના પ્રસંગથી અશાતા વેદનીય કર્મબંધનના કારણો રજુ કરીએ છીએ. “અનાયાથf વગેરે. અશાતા વેદનીય કર્મ પરદુઃખનતો આદિ બાર કારણથી બંધાય છે, તેનાથી જીવને શારીરિક અને માનસિક અશાતા ઉપજે છે. આદિ શબ્દ વડે સંગૃહીત બાર કારણો આ રહ્યાં– (૧) પરદુઃખનતા–બીજાને અશાતા પહોંચાડવી. (૨) પરશોચનતા–બીજાને શેક પહોંચાડે. ૩) પરજૂરણતા –બીજાને શરીરશેષણ જનક શોક. પહોંચાડે (૪) પરપનતા–બીજાને અદ્ભપાત થાય એ શક પહોંચાડે શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy