SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ પાપકર્મ બંધના કારણેનું નિરૂપણ સૂ. ૩ ૨૭૩ જાણવા –રાન અને દર્શનની પ્રત્યેનીક્તા વગેરે કરવાથી પંચવિધ જ્ઞાનાવરણ અને નવવિધ દર્શનાવરણ કર્મ બંધાય છે. પ્રત્યુનીકતા આદિ શબ્દથી ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહેવામાં આવેલા પદોનું અહીં ગ્રહણ કરવાનું છે તે આ પ્રમાણે છેજ્ઞાન અને દર્શન પ્રત્યુનીકતા (૧) નિહ્નવતા (૨) અન્તરાય (૩) પ્રàષ (૪) આત્માશાતના (૫) અને વિસંવાદનગ (૬) આ છે કારણોથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો બંધાય છે. જેવા તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ વગેરે ખ્યાંશી પ્રકારના પાપોના સ્વરૂપ કહેવામાં આવ્યા હવે તે પૈકી પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણ અને નવ પ્રકારના દર્શનાવરણ પાપકર્મના બન્ધના કારણો બતાવીએ છીએ “બાળvir” વગેરે જ્ઞાન અને દર્શનની પ્રત્યનીક્તા આદિ કરવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો બંધાય છે. જ્ઞાન-મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારના હોય છે. દર્શન-ચક્ષુ, અચક્ષુ અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારના હોય છે આવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનની અને ચાર પ્રકારના દર્શનની પ્રત્યનીતા આદિ છ ઉપઘાતક હોય છે. એમના આચરણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાનાવરણ પણ પાંચ પ્રકારના હોય છે, દર્શનાવરણ નવ પ્રકારના હોય છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ તથા નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા–પ્રચલા અને ત્યાનદ્ધિ એમ નવ પ્રકારના છે. અહીં જ્ઞાનવિષયક પ્રત્યનીતા આદિ જ્ઞાનાવરણ પાપકર્મના બંધના કારણે અને દર્શનવિષયક પ્રત્યુનીકતા આદિ દર્શનાવરણ કર્મના બન્ધનરૂપ કારણ હોય છે એવું સમજવું ઘટે. અહીં આદિ શબ્દથી નિહ્નવતા અન્તરાય, પ્રષિ, અત્યાશાતના અને વિસંવાદનાયેગ, આ પદોને ગ્રહણ કરવા જોઈએ. ' અર્થાત જ્ઞાન અને દર્શનની પ્રત્યેનીકતા વગેરે છે કારણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંધાય છે એ મુજબ કહેવું જોઈએ જેવી રીતે જ્ઞાન પ્રત્યેનીકતા (૧) જ્ઞાન નિદ્ભવતા (૨) જ્ઞાનાન્તરાય (૩) જ્ઞાનપ્રદ્વેષ (૪) જ્ઞાનની અત્યાશાતના (૫) અને જ્ઞાનને વિસંવાદનગ (૬) એ મુજબ એવી જ રીતે દર્શનવિષય પ્રત્યેનીક્તા વગેરેને પણ દર્શનની સાથે સાંકળી લેવા જોઈએ. અત્રે પ્રથમ જ્ઞાનાવરણ કર્મ બંધાવાના છ કારણોની વ્યાખ્યા કરવામાં આવે છે, જ્ઞાન-પ્રત્યનીતા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં અથવા ધર્મ-અધર્મના અભેદથી અર્થાત ધર્મથી ધમીનું ગ્રહણ કરવાથી મતિધ્રુતાનિ પાંચ જ્ઞાનવાળાઓની પ્રત્યનીતા અર્થત શ્રુતજ્ઞાનાદિક વિરુદ્ધ આચરણ કરવાથી અગર શ્રુતજ્ઞાનાદિવાળાઓમાં વિરુદ્ધ આચરણ કરવાની પ્રવૃત્તિ રાખવાથી તથા જ્ઞાનને નિદ્ભવ કરવાથી કોઈ કઈને પૂછે અથવા શ્રુતજ્ઞાનાદિના સાધન માગે ત્યારે જ્ઞાન અથવા જ્ઞાનના સાધને પિતાની પાસે હોવા છતાં પણ કલુષિત ભાવે એવું કહેવું કે હું જાણતો નથી અથવા મારી પાસે તે વસ્તુ જ નથી, આ જ્ઞાન નિદ્ભવ છે--આ પ્રકારના જ્ઞાન નિદ્વવથી અથવા શ્રત પ્રદાતા ગુરૂજનના નિહ્નવથી અ૫લાપથી તથા જ્ઞાનાન્તરાયથી કલુષિતભાવથી જ્ઞાનપ્રાપ્તિમાં કોઈને અડચણ પહોંચાડવાથી તથા જ્ઞાનપ્રદ્વેષથી શ્રુતાદિકમાં અથવા કૃતાદિજ્ઞાનવાળા ગુરુજનેમાં ૩૫ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy