SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ તત્વાર્થસૂત્રને શરૂઆતના ત્રણ વાસ્તવમાં મનુષ્ય છે અને ભવ્યદ્રવ્યદેવ મનુષ્ય અથવા તિર્યંચ છે—કેટલીક વિશેષતાઓના કારણે જ તેમને દેવ કહેવામાં આવ્યા છે આથી ભાવદેના ભેદ ચાર જ સમજવા જોઈએ. ભગવતી સૂત્રના પ્રથમ શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે–દેવ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે—ભવનપતિ, વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક છે ૧૬ . તા માનવ ' ઈત્યાદિ II ૨૭ . સૂવાથભવનપતિદેવ દશ પ્રકારના છે–અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર. દિશાકુમાર, વાયુ-પવનકુમાર અને સ્વનિતકુમાર એ ૧૭ છે તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, હવે તેમાં સૌથી પહેલા ગણવામાં આવેલા ભવનપતિના દશ અવાન્તર ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ – તેમાંથી અર્થાત્ ચાર પ્રકારના ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવામાંથી ભવનપતિ દશ પ્રકારના હોય છે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર દ્વન્દ સમાસને છેડે જોડાયેલ પદ બધાની સાથે લગાવી શકાય છે એ નિયમાનુસાની “કુમાર” શબ્દ અહીં બધાની સાથે જોડવામાં આવે છે આ ભવનપતિ દેવ ભવનવાસી” પણ કહેવાય છે કે ૧૭ તવાથનિયુકિત–આની પહેલા ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. હવે તેમાંથી સૌ પ્રથમ ગણાવેલા ભવનવાસિઓના દશ વિશેષ ભેદ બતાવીએ છીએ પર્વોક્ત ભવનવાસી, વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેમાંથીભવનપતિ દેવ દશ પ્રકારના છે. તેમના નામ આ છે–(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર અસુર-–નાગ આદિમાં મૂળસૂત્રમાં દ્વન્દ સમાસ છે અને દ્રઢ સમાસને છેડે જોડેલું પદ દરેક શબ્દની સાથે જોડી શકાય છે એ નિયમના અનુસાર અહીં દશે ભેદોની સાથે કુમાર શબ્દને પ્રવેશ કરવામાં આવ્યા છે. આ દશે ભવનમાં નિવાસ કરવાના સ્વભાવવાળા છે આથી તેઓ ભવનવાસી પણ કહેવાય છે તેમના નિવાસ ભૂમિમાં હોવાથી ભવન કહેવામાં આવે છે તે ભવનમાં જે વાસ કરે છે તેઓ ભવનવાસી કહેવાય છે. આ બધાં કુમારની જેમ જોવામાં કમનીય હોય છે. સુકુમાર હોય છે. તેમની ગતિ ઘણી લલિત, કવિત, કમળ અને મધુર હોય છે સુંદર શૃંગાર રૂપ અને વિક્રિયાથી યુક્ત હોય છે કુમારના જેવું રૂપ, વેશભૂષા, ભાષા આયુધ, યાન, વાહન અને ચરણન્યાસવાળા, કુમારોની માફક જ રાગવાન તથા ક્રીડાપરાયણ હોય છે આ કારણે જ એમને કુમાર કહે છે, શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy