SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સૂ. ૧૪ પ્રાણીયો સાથે મૈત્રીભાવના ધારણ કરવાનું કથન ર૩૩ જે કથા દ્વારા શ્રોતા વિષયોગોથી વિરકત થાય છે તે નિવેદની કથા કહેવાય છે. કહ્યું પણ છે – - જે કથાના શ્રવણથી વૈરાગ્ય જમે તે નિદિની કથા છે જેમાં ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિબંધ આપ્યો હતો. ૧૩ સ વસૂપ જુ”િ ઈત્યાદિ સૂત્રાર્થ–સમસ્ત પ્રાણીઓ પર મૈત્રીભાવના, અધિક ગુણવાનોના પ્રત્યે પ્રભેદ ભાવના, દુઃખી પ્રાણીઓ પર કરુણાભાવના અને અવિનીત પર માધ્યસ્થભાવના રાખવી જોઈએ ૧૪ તવાથદીપિકા—પૂર્વસૂત્રમાં હિંસા આદિ પાંચે પાપોની નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતની સામાન્ય પ્રાણાતિપાત આદિમાં આલેક–પરલેકમાં અપાર દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું; હવે તેજ મહાવ્રતની દઢતા માટે સર્વ પ્રાણિઓ પર મૈત્રી આદિ ભાવનાઓની પ્રરૂપણુ કાજે કહીએ છીએ– | સર્વ પ્રાણિઓ, ગુણાધિકો, કિલશ્યમાન છો અને અવિનીત પર ક્રમશઃ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને મધ્યસ્થ ભાવના હેવી જોઈએ અર્થાત બધાં પ્રાણિઓ પર મત્રી ભાવના ધારણ કરે, જે પોતાની અપેક્ષા અધિક ગુણવાન છે તેમના પ્રત્યે પ્રમોદ-હર્ષાતિશયની ભાવના ધારણ કરે જે જીવ દુઃખને અનુભવ કરી રહ્યાં છે તેમના પર કરૂણા ભાવના રાખે અને જે અવિનીત કહેતાં શઠ છે, પિતાનાથી વિરુદ્ધ વિચાર તેમજ વ્યવહાર કરે છે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ ધારણ કરે. તાત્પર્ય એ છે કે આ રીતે મૈત્રી વગેરે–ભાવનાઓથી બધાની તરફ વેર-વિરોધ નષ્ટ થઈ જાય છે કહ્યું પણ છે–વેy મૈત્રી ગુog vમોર ઇત્યાદિ હે દેવ ! મારો આત્મા પ્રાણિમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરે, ગુણીજનેને જોઈને પ્રમાદને અનુભાવ કરે, દુ:ખી જને પર કરુણાભાવ ધારણ કરે અને વિપરીત વ્યવહાર કરનારા પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે. ૧૪ તત્વાર્થનિર્યુક્તિ-પ્રથમ પ્રાણાતિપાત—વિરતિ આદિ પાંચ વ્રતની સ્થિરતાને માટે સામાન્ય રૂપથી બધાં વ્રતોથી સંબંધ રાખનારી ખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું જેમાં એ બતાવવામાં આવ્યું કે હિંસા વગેરેનું આચરણ કરવાથી આ લેક તેમજ પરલોકમાં દુ:ખની પ્રાપ્તિ થાય છે હવે તે જ વ્રતની પરંપરાથી સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ બધાં પ્રાણિઓ પર મૈત્રી, અધિક ગુણવાન પર પ્રભેદ, દુઃખી જન પર દયા અને અવિનીત પર માધ્યસ્થભાવ ધારણ કરે જોઈએ. જે મેઘાત-નિuત અર્થાત સ્નેહ કરે છે તે મિત્ર કહેવાય છે. મિત્રના ભાવને મૈત્રી કહે છે. બીજાનાં હિતને વિચાર કરો મૈત્રી છે. પ્રત્યેક પ્રાણી પર મૈત્રીભાવ હોવો જોઈએ. પ્રમાદથી અથવા અન્ય કોઈ કારણથી કેઈએ કદાચ અપકાર કર્યો હોય તે તેના તરફ પણ મૈત્રીભાવ ધારણ કરીને એ વિચાર કરવો જોઈએ—“તેને મિત્ર છું, આ મારા મિત્રો છે, હું મારા મિત્ર સાથે દ્રોહ કરીશ નહી, મિત્રથી દ્રોહ–વિશ્વાસઘાત કર એ તે દુર્જનનું કામ છે–સપુરુષનું નહીં. આ કારણથી હુ સમસ્ત પ્રાણિષ્ટિ પર ક્ષમાભાવ ધારણ કરું છું. આ ૩૦ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy