SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ તત્વાર્થસૂત્રને લેવો જોઈએ. જેથી તેમાં ઉત્પન્ન થયેલ અથવા આમતેમથી આવી પડેલાં જીવેની રક્ષા થાય. ઉપાશ્રયમાં આવીને અજવાળાવાળી જગ્યાએ બેસીને ફરીવાર ભેજન–પાણીને સારી પેઠે જોઈ જવા જોઈએ તેમજ ઉજાશવાળી જગ્યાએ જ તેમનું સેવન કરવું જોઈએ. આ પાંચ ભાવનાઓને પુનઃ પુનઃ ભાવનારા અહિંસાવ્રતની રક્ષા કરવામાં સમર્થ થાય છે. અસત્યવિરમણ વ્રતની દઢતા માટે કહેવામાં આવેલી પાંચ ભાવનાઓમાંથી પહેલી અનુવિચિભાષણનું કથન કરીએ છીએ– (૧) અનુવાચિભાષણ-અહીં “અનુવાચિ” શબ્દ દેશ્ય છે અને તેને અર્થ છે-આલોચનાઅર્થાત સમજી-વિચારીને વચનનો પ્રયોગ કરવો અનુવચિભાષણ કરવું એમ કહેવાય છે. વગર સમજ્ય-વિચાર્યું બેલનાર વક્તા કદાચિત મિથ્યા (અસત્ય) ભાષણ પણ કરી બેસે છે તેથી પિતાની લઘુતા થાય છે તથા વૈર, પીડા વગેરે આલોક સંબંધી-અનર્થ ઉત્પન્ન થાય છે. તેનાથી બીજ પ્રાણનો ઘાત પણ થાય છે. આથી અનુવચિભાષણથી જે પોતે પોતાને જ ભાવિત કરે છે તે મૃષાભાષણુના દોષને ભાગીદાર બનતું નથી. (૨) જોધપ્રત્યાખ્યાન–મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા શ્રેષરૂપ ક્રોધ કષાયને ત્યાગ કરવો જોઈએ અને પિતાના આત્માને ક્રોધપ્રત્યાખ્યાનથી ભાવિત કરે જોઈએ જે ક્રોધાત્યાગની ભાવના ભાવે છે, તે મોટાભાગે સત્યનું ઉલ્લંઘન ન કરીને તેનું પાલન કરવામાં સમર્થ થાય છે. (૩) લેભપ્રત્યાખ્યાન—લોભનો અર્થ છે તૃષ્ણા તેને ત્યાગ કરે લેભપ્રત્યાખ્યાન કહેવાય છે જે તેમને ત્યાગ કરી દે છે તેને અસત્યભાષણ કરવાની જરૂર પડતી નથી. (૪) ભયપ્રત્યાખ્યાન-ભય, અસત્ય ભાષણનું કારણ છે. જે વ્યક્તિ પોતાના આત્માને નિડરતાથી ભાવિત કરે છે, તે અસત્ય ભાષણ કરતું નથી. ભયશીલ મનુષ્ય મિથ્યાભાષણ પણ કરે છે દા. ત. આજે રાત્રે મને ચાર દેખાય, પિશાચ જોયા વગેરે. આથી અસત્યથી બચવા માટે પિતાના આત્મામાં નિર્ભયતાની ભાવના જાગૃત કરવી જોઈએ. (૫) મોહના ઉદયથી ઉત્પન્ન થનારા પરિહાસથી યુક્ત વ્યક્તિ ઠઠ્ઠામશ્કરીમાં અસત્યભાષણ કરે છે. આથી ઠઠ્ઠા-મશ્કરીને ત્યાગની ભાવનાથી ભાવિત કરવી જોઈએ. જે પરિહાસને ત્યાગ કરી દે છે તે સત્યવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે (૧૦) (૧૧) એવી જ રીતે સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એ અનુવાચિ અવગ્રહયાચના નામની ભાવના છે. અવગ્રહ-આજ્ઞા) પાંચ પ્રકારની છે–(૧) દેવની (૨) રાજાની (૩) ઘરના માલિકની (૪) શય્યાતરની અને ૫) સાધર્મિકની જે જેને માલિક હોય તેના માટે તેની જ રજા લેવી જોઈએ. જે સ્વામી ન હોય તેનાથી અગર યાચના કરવામાં આવે તે અનેક પ્રકારના દોષોની ઉત્પત્તિ થાય છે આથી સમજી-વિચારીને જ આજ્ઞાની યાચના કરવી જોઈએ જે આ ભાવનાથી યુક્ત હોય છે તે અદત્તાદાનની કઈ પ્રવૃત્તિ કરતા નથી. (૧૨) અભીકણ અવગ્રડયાચના-–માલિકે એકવાર કોઈ વસ્તુ પ્રદાન કરી દીધી હોય તે પણ વારંવાર તેની યાચના કરવી અભીણ અવગ્રહયાચના છે. પૂર્વ પ્રાપ્ત વસ્તુ માટે–અર્થાત શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy