SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ તત્વાર્થસૂત્રને રહે છે, સંઘાઈ શકતી નથી એવી જ રીતે અનન્તાનુબન્ધી ક્રોધ ઉત્પન્ન થાય છે તે તે જીવનપર્યન્ત કદી પણ શાન્ત થતો નથી. તેના સંસ્કાર જીવનવ્યાપી હોય છે. તેના સંસ્કારને નારા કરવાને કેઈ ઉપાય નથી. અનન્તાનુબન્ધી ક્રોધથી મૃત્યુ પ્રાપ્ત કરનાર છ પ્રાયઃ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાની કે મધ્ય શ્રેણને હેય છે તે જમીનમાં પડેલી તડ જે છે જેના સંસ્કાર એક વર્ષ સુધી અસ્તિત્વમાં રહે છે અર્થાત જેમ જમીનમાં જે ફાટ પડી જાય છે તે વર્ષાઋતુમાં ચેકકસ જ ભુંસાઈ જાય છે એવી જ રીતે જે ક્રોધ એકવાર ઉત્પન્ન થઈને એક વર્ષની અંદર–અંદર પ્રશાંત થઈ જાય છે, તે અપ્રત્યાખ્યાની ક્રાધ કહેવાય છે. આ ક્રોધવાળા જી મરણ પછી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણને ક્રોધ વિમધ્ય કહેવાય છે તે રેતીમાં દોરેલી રેખા જે હોય છે તાત્પર્ય એ છે કે રેતીના ઢગલામાં લાકડીથી અગર કંઈ સળીથી જે રેખા બનાવી દેવામાં આવે તે તે વધુમાં વધુ ચાર માસની અંદર ભુંસાઈ જાય છે એવી જ રીતે જે ક્રોધ નિયમથી ચાર માસમાં શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાન ક્રોધ કહેવાય છે. આ ક્રોધવાળા જીવ મરીને મનુષ્યોનિમાં જન્મ લે છે. - સંજવલન ક્રોધ મંદ હોય છે. તેને પાણીમાં ખેંચેલી રેખાની ઉપમા આપવામાં આવી છે કહેવું એ છે કે લાકડી શલાકા અથવા આંગળી વડે પાણીમાં જે રેખા ખેંચીએ તો પાણીને સ્વભાવ તરલ હોવાથી તે રેખા તેજ વખતે અદશ્ય થઈ જાય છે એવી જ રીતે જે અપ્રમત્ત જ્ઞાનીપુરુષને કોધ ઉત્પન્ન થતાની સાથે જ ઉપશાન્ત થઈ જાય છે તેને કેધ સંજવલન ક્રોધ કહેવાય છે અને આ જાતના ક્રોધવાળા છ દેવગતિમાં ઉત્પન્ન થાય છે, આવી જ રીતે માન પણ ચાર પ્રકારના છે. અનન્તાનુબન્ધી માન તીવ્ર અપ્રત્યાખ્યાની માન મધ્ય પ્રત્યાખ્યાની માન વિમધ્ય અને સંજવલન માન મન્દ હોય છે. આ ચાર પ્રકારના માન અનુક્રમે શૈલસ્તમ્ભની સમાન, અસ્થિતંભની જેમ દારુસ્તંભની જેમ અને નૃતંભની માફક સમજવા જોઈએ. જેવી રીતે શૈલસ્તંભ અર્થાત પર્વત કદાપી નમતો નથી તેવી જ રીતે કેઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલ જે માન જીવન પર્યન્ત જતું નથી તે અનન્તાનુબન્ધી માન કહેવાય છે. આ માનને વશ થઈને મરનારા પ્રાણી નરકગતિમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે તે અસ્થિતંભ (હાડકાં) વગેરેની જેમ માન પણ પૂત ક્રોધની જેમ ઘટિત કરી લેવો જોઈએ તેમના ફળસ્વરૂપ થવાવાળી ગતિ પણ પૂર્વવતું જ જાણી લેવી. એવી જ રીતે માયા પણ ચાર પ્રકારની છે–અનન્તાનુબંધી માયા, અપ્રત્યાખ્યાની માયા પ્રત્યાખ્યાની માયા અને સંજવલન માયા કોધ અને માનની જેમ માયા પણ અનુક્રમથી તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. અનન્તાનુબન્ધી માયા વાંસની ગાંઠની જેમ અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શિંગડાની જેમ પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા (ચાલતા-ચાલતાં મૂતરનાર બળદના મૂત્રની વાંકી-ચું રેખાઓ)ની જેમ અને સંજ્વલન માયા અવલેખનિકાની જેમ હોય છે. તાત્પર્ય એ છેકે જેમ વાંસની ગાંઠ અત્યન્ત:કુટિલ-વક હોય છે અને હજાર પ્રયત્નો કરવા છતાં પણ સીધી થઈ શકતી નથી એવી રીતે તીવ્ર અનન્તાનુબન્ધી માયા પણ જીવનપર્યત ફદાપી દૂર કરી શકાતી નથી. આ માયાને વશ થઈને મરનાર જીવો મરણની અનન્તર નરક શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy