SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. પરિણામનું નિરૂપણ - ૧૬૩ આમ પરિણામ કયાંક સ્વાભાવિક હોય છે તે ક્યાંક પ્રયોગિક અને કોઈવાર બંને પ્રકારનાં હોય છે. કારણ કે વસ્તુ તેજ છે જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણવાળી હોય. આવી રીતે અનેકાન્તવાદમાં રૂપી પુગલ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી સાદિ પરિણામ હોવા છતાં પણ કવચિત્ અનાદિ પરિણામ પણ ઘટિત થાય છે અને તેવી જ રીતે અરૂપી ધર્માદિ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી અનાદિ પરિણામ હોવા છતાં પણ કથંચિત સાદિ પરિણામ પણ ઘટિત થાય છે. કેઈ–કેઈએ કહ્યું છે કે રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં જ સાદિ પરિણામ થાય છે અરૂપી ધર્મ આદિ દ્રવ્યોમાં થતું નથી, તેમનું કથન યથાર્થ નથી તેમના મત અનુસાર અરૂપી દ્રવ્યોમાં પર્યાયાશ્રયી વ્યવહારના અભાવની મુશ્કેલી હોય છે અને આમ હોવાથી ઉત્પાદ-વ્યય આદિ લક્ષણની સંગતિ બેસતી નથી. આથી પરિણામના અભાવને જ પ્રસંગ થઈ જાય છે. ધર્મ આદિ અરૂપી દ્રવ્યને અપરિણામી માની લેવાથી તેમના સ્વરૂપ અક્કસ થઈ જશે, કારણ કે તેઓ સ્વતઃ ઉત્પાદ અને વ્યય પરિણામથી રહિત છે, આથી મૂત્ત અને અમૂર્ત બધાં દ્રવ્યોમાં કઈ પરિણામ સાદિ હોય છે. કેઈ અનાદિ હોય છે, એવું સ્વીકારવું જોઈએ. અરૂપી જીવમાં જેમાં જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ અનાદિ પરિણામ છે તેવી જ રીતે પેગ તથા ઉપયોગ આદિમાન પરિણામ પણ છે. પુદ્ગલ દ્રવ્યના સંબંધથી આત્માના વીર્યનું ફુરણ થવું યોગ કહેવાય છે. તે કાયા વચન અને મન રૂપથી આત્માની શક્તિ વિશેષની ઉત્પત્તિ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને જ્ઞાન દર્શન દ્વારા પ્રણિધાન આદિ રૂપ પિતાના વિષયને ગ્રહણ કરવાને જે વ્યાપાર છે તે ઉપયોગ કહેવાય છે. સમાધિને પણ ઉપયોગ કહે છે. તેના દ્વારા થનારા પદાર્થને પરિચ્છેદ પણ ઉપયોગ કહેવાય છે. આ ઉપગના રૂપમાં આત્માનું પરિણામ થાય છે. ઉપગ બાર પ્રકારના છે. જીવને સ્વભાવ જે ઉપયોગ છે તે મૂળમાં બે પ્રકાર છે – સાકાર અને અનાકાર બંનેના મળીને બાર ભેદ થાય છે –(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિ-અજ્ઞાન અર્થાત કુમતિજ્ઞાન (૭) શ્રત-અજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન અર્થાત્ કુઅવધિજ્ઞાન (૯) ચક્ષુદર્શન (૧૦) અચક્ષુ દર્શન (૧૧) અવધિદર્શન તથા (૧૨) કેવળદર્શન. ગના ૧૫ ભેદ આ છે –(૧) ઔદારિક કાગ (૨) વૈક્રિય કાયાગ (૩) આહારક કાયયોગ (૪) ઔદારિક મિશ્ર કાયસેગ (૫) વૈકિયમિશ્ર કાગ (૬) આહારક મિશ્રકાયયોગ (૭) કાર્પણ કાયયોગ (૮) સત્યવચનગ (૯) અસત્યવચનયોગ (૧૦) મિશ્રવચનયોગ (૧૧) વ્યવહાર-અસત્યા મૃષાવચનયોગ (૧૨) સત્યમ યોગ (૧૩) અસત્ય મનાયગ (૧૪) મિશ્રમનેવેગ અને (૧૫) અસત્યામૃષા મનેયોગ. આત્મા કાયા વગેરે સેંકડો પ્રકારના પુદ્ગલેની સાથે સંબંધ હોવાને કારણે અનેક પ્રકારની ગતિકથન તથા ચિંતન વગેરે ક્રિયાઓ કરે છે. તે સમયે તેની તેજ રૂપમાં પરિણતિ થઈ જાય શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy