SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના અસ”ખ્યાત પ્રદેશવત્ત્વ, લેાકાકાશવ્યાપિત્વ, અમૂત્તત્વ, ગમનનિમિત્તત્ત્વ, અગુરુલઘુત્વ વગેરે ધર્માસ્તિકાયના અનાદ્ધિ પરિણામ છે. અસખ્યાત પ્રદેશવત્ત્વ, લેાકાકાશવ્યાપત્ય, સ્થિતિનિમિત્તત્ત્વ, અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અનન્ત પ્રદેશખન્ધ, અમૃત્તત્વ, અગુરુલઘુપર્યાયત્ત્વ, અવગાહ હેતુત્ત્વ વગેરે આકાશના અનાદિ પિરણામ છે. આવલિકા આદિ ભૂતકાળ, ભવિષ્યકાળ, વમાનતા આદિ પરત્ત્વ-અપરત્વે આદિ, અમૃત્તત્વ, અગુરુલઘુત્વ આદિ કાળના અનાદિ પરિણામ છે. જીવત્વ ભવ્યત્વ આદિ અમૂત્તત્વ તથા જ્ઞાન-દર્શન આદિ જીવના અનાદિ પરિણામ છે. ૧૬૨ રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં સાદિ પરિણામ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે દા. ત. ઢચણુક આદિ સ્કંધ રૂપ શબ્દાદિ શુકલ, કૃષ્ણ, રાતા, પીળા વગેરે રસ આદિ જ્યારે એ પરમાણુ સ્વભાવથી હ્રયાણુક સ્કંધને ઉત્પન્ન કરે છે ત્યારે બંને પરમાણુઓમાં જે સ્કંધ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સાદિ પરિણામ છે. આવી જ રીતે રૂપી અને ઉત્પાદ–ચયવાળા દ્રવ્યોમાં રૂપ, રસ, ગધ, સ્પર્શ આદિ રૂપ અનેક પ્રકારના સાદિ પરિણામ હોય છે. સ્પર્ધા આઠ પ્રકારના છે—(૧) કર્ણાંશ (કઠાર) મૃદુ (૩) ગુરુ (ભારે) (૪) લઘુ (હલ્કા) (૫) ઠંડા (૬) ઉના (૭) સુંવાળા અને (૮) ખરબચડો આમાં કશતર ક શતમ આદિ સાદિ પરિ ણામ છે. રસ પાંચ પ્રકારના છે—(૧) તીખા (૨) કડવા (૩) તુરા (૪) ખાટો અને (૫) મીઠો. તિસ્તતર તિક્તતમ વગેરે સાર્દિ પરિણામ છે. ગંધ એ પ્રકારની છે-સુગંધ અને દુ ધ સુરભિતર આદિ સાદિ પરિણામ છે. વણું, કૃષ્ણે વગેરે પાંચ પ્રકારના છે. કૃષ્ણતર આદિ સાદે પિરણામ જાણવા જોઇએ પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં દ્રશ્યત્વ, મૂત્તવ, સત્ત્વ આદિ પરિણામ અાદિ જ હોય છે સાદિ નહી. આમ જેવી રીતે રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં સાત્તિ અને અનાદિ અને પ્રકારના પરિણામ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તેવી જ રીતે અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામ પણ હાઈ શકે છે જેમ યોગ અને ઉપયોગરૂપ પરિણામ જીવામાં સાદિ હોય છે. આજ પ્રકારે ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામની શકયતા છે. જેમ, ગતિ કરવાની ઇચ્છાવાળા કાઇ પુરૂષ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે ધદ્રવ્ય તેની ગતિમાં નિમિત્ત બની જાય છે. આ નિમિત્તત્વ બની જવુ ધર્મ દ્રવ્યના પર્યાય છે. જે પહેલા ન હતા હવે ઉત્પન્ન થયો છે આથી આ ગતિ નિમિત્તત્વ પરિણામ સાદિ જ હાઇ શકે છે, અનાદિ નહી. તે મૈત્ર નામના પુરુષ ગતિથી સ્થિર થઈ જાય ત્યારે તે ગતિ નિમિતત્ત્વ પણ રહી જતા નથી આમ ઉત્પાદ અને વિનાશવાન હેાવાથી તે સાર્દિ છે. ઉપગ્રાહ્યના અભાવમાં ઉપગ્રાહકત્વ પણ હાતા નથી. આકાશ દ્રવ્ય પણ અવગાહના કરનાર માટે—અવગાહદાન રૂપ પર્યાયથી પરિણત થાય છે. અવગાહદાન પર્યાય હમણાં હમણાં ઉત્પન્ન થવાથી સાદિ જ હેાઈ શકે છે અનાદિ નહી. કાલદ્રવ્ય પણ વૃત્ત વર્તમાન આદિ પરિણમનથી યુક્ત હાય છે આ પ્રકારે આ પરિણામ દ્રબ્યાર્થિ કનયના વ્યાપારથી ધ વગેરેના સ્વભાવ છે, ધર્માદિથી ભિન્ન નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy