________________
તત્વાર્થસૂત્રને શક્તિ પિતાના વિશુદ્ધ પરિપૂર્ણ અને સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ જાય છે. આ વખતે એવો કેઈ ય પદાર્થ હોતા નથી કે જે કેવળજ્ઞાન વિષય ન હોય.
ધર્મ, અધર્મ, આકાશ કાળ, પુગલ અને જીવ આ બધાં દ્રવ્યમાં પ્રતિક્ષણે ઉત્પાદ, વ્યય તથા ધૌવ્ય રહે છે. જે પણ સત્ પદાર્થ છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક જ હોય છે. કેઈ વસ્ત્રનો વેતવર્ણ નાશ થાય છે તેમાં ત્રણ વર્ણન ઉત્પાદ હોય છે પરંતુ વસ્ત્ર દ્રવ્ય બંને અવસ્થાઓમાં કાયમ રહે છે. આવી જ રીતે પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયન ઉત્પાદ થવાથી પણ દ્રવ્ય-વ-જેવું ને તેવું જ–રહે છે. જેમ જીવ દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય પર્યાય રૂપે વિનાશ પામે છે પરંતુ જીવના રૂપે હમેશાં અવસ્થિત રહે છે. આ બધાં પર્યાને કેવળજ્ઞાન સાક્ષાત જાણે છે. આવી જ રીતે આકાશ અને કાળ જેવા અપૂર્વ દ્રવ્ય પણ કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે. આથી કેવળજ્ઞાન પરિપૂર્ણ સમગ્ર અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવને ક્ષાપક, કાલેકને વિષય કરવાવાળું અને અનન્ત પર્યાયાવાળું છે.
એક-એક યની સ્વ–પર પર્યાની ગણના કરવામાં આવે છે તે અનન્તાનન્ત છે. એવા અનન્તાનન્ત પર્યાયવાળા અનન્તાનઃ ય પદાર્થ કેવળજ્ઞાનનો વિષય છે. એવી સ્થિતિમાં કેવળજ્ઞાનના અનન્તાનન્ત પર્યાય છે, આ સમજવું મુશ્કેલ નથી.
અનુગ દ્વારના ૧૪૧માં સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન-ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારના કહ્યા છે ! ઉત્તર–ગૌતમ ! દ્રવ્ય બે પ્રકારના કહ્યા છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૮ ની આઠમી ગાથામાં કહે છે–
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્ય એક–એક રૂપ છે અને કાળ, પુદ્ગલ તથા જીવ એ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે. પરા
'निच्चावद्वियाणि अरूपाणि य' મૂળસૂત્રાથ–પૂર્વોકત દ્રવ્ય નિત્ય, અવસ્થિત અને અરૂપી છે ગાડા
તત્વાર્થદીપિકા-ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુગલ અને જીવ એ છએ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે. આમાંથી કયારેય પણ કેઈ ન હોય એવું નથી. અર્થાત્ એ હમેશાં રહે છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યના રૂપમાં પરિણુત થતું નથી. આમાંથી ધર્મ, અધર્મ આકાશ કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાતુ રૂપ-રસ આદિથી રહિત છે. આ રીતે છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયના શેષ પાંચ દ્રવ્યો અરૂપી છે. ૩.
તત્વાર્થનિર્યુતિ–પૂર્વસૂત્રમાં ધર્માદિ : દ્રવ્ય કહ્યાં હવે આ દ્રવ્ય શું પોતપોતાના સ્વભાવથી કયારે યુત થાય છે? શું કયારે પણ વધે ઘટે છે ? તેઓ મૂર્ણ છે કે અમૂર્ત ? આ ત્રણ પ્રશ્નના સમાધાન માટે કહીએ છીએ–
ધર્મ આદિ છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે નિત્યનો અર્થ એ છે કે આ દ્રવ્ય કોઈ વાર પણ પિતપતાના સ્વભાવને ત્યાગ કરતા નથી અને અવસ્થિતને ભાવ એ છે કે એમની સંખ્યા ક્યારે પણ વધતી–ઘટતી નથી અર્થાત આ તમામ દ્રવ્ય અનાદિ નિધન છે અને નિયત સંખ્યાવાળા છે કયારેય પણ પોતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આમાં પુગલ સિવાયના પાંચ દ્રવ્ય અરૂપી છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧