SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને આવી રીતે જે ઘણા દીર્ઘકાલિક આયુષ્ય ઝેર, અગ્નિ, પાણી, ફાંસા વગેરે કારણેથી અલ્પકાલિક થઈ જાય છે તે સેપકમ-અપવત્યે આયુષ્ય કહેવાય છે પરંતુ પૂર્વોકત કારણથી જે દીર્ઘકાલીન આયુષ્ય અલ્પકાલીન થતું નથી તે નિરૂપકમ કહેવાય છે તેને અપવત્યે આયુષ્ય પણ કહે છે કે ૪૧ છે. તત્વાર્થનિયુકિત-નક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસારમાં આયુષ્યની સ્થિતિ શું વ્યવસ્થિત છે ? અથવા શું અકાળ મરણ પણ થાય છે ? આ જાતની શંકા થવાથી કહે છે આયુષ્ય બે પ્રકારના હોય છે–અપવર્તનીય અને અનાવર્તનીય-અનાવતીય આયુષ્યનાપણ બે પ્રકાર છે–પક્રમ અને નિરૂપકમ. જે આયુષ્ય ઉપક્રમણ અથવા ક્ષયવાળું હોય તે સોપકમ કહેવાય છે. લાંબા સમય સુધી ભગ્ય આયુષ્ય જે કારણ વિશેષથી-અધ્યવસાન વગેરે નિમિત્તથી અલ્પકાલીન થઈ જાય છે તે કારણ ઉપક્રમ કહેવાય છે, તેને સ્વલ્પકરણ અથવા પ્રત્યાયનીકરણ પણ કહી શકાય કારણકે તેનાથી આયુષ્ય સ્વલ્પ થાય છે અથવા તેને અંત નજીકમાં આવી જાય છે. જે આયુષ્ય આ પ્રકારના ઉપકમથી સહિત હોય તેને સોપકમ આયુષ્ય કહે છે. જે આયુષ્યમાં ઝેર, અગ્નિ જળસમાધિ વગેરે ઉપક્રમ લાગુ ન થઈ શકે તે નિરૂપકમ કહેવાય છે ત્યાં અધ્યવસાન વગેરે કારણ હોતા નથી. શંકા--જેવી રીતે દીર્ધકાળની સ્થિતિવાળું આયુષ્ય કારણ મળવાથી અલ્પકાલીન થઈ જાય છે તેવી જ રીતે શું અલ્પકાલીન આયુષ્ય રસાયણ વગેરેના સેવનથી વૃદ્ધિ પ્રાપ્ત કરી દીધા. લીન પણ થાય છે. ? સમાધાન -જે આયુષ્ય દીર્ધકાલીન રૂપે બંધાયેલું નથી એવા અલ્પ આયુષ્યની વૃદ્ધિ થવી શકય નથી. હકીકત એ છે કે પૂર્વજન્મમાં જે આયુષ્ય જેટલું બંધાયું હોય આગલા જન્મમાં તે બધું ભેગવવું જ પડશે. તેમાં કોઈ ઘટાડે અગર તે વધારે થતો નથી. માત્ર ઝેર, શસ્ત્ર વગેરે કારણ ઉપસ્થિત થવાથી દીર્ઘકાળ સુધી ભગવાનારા આયુષ્ય અલ્પસમયમાં જ ઝટ-ઝટ ભગવી લેવાય છે; દાખલા તરીકે એક મહીનામાં પાકનારા, ઝાડમાં લાગેલા ફળને તેડીને જે પાકમાં નાખવામાં આવે તો તે બે કે ત્રણ દિવસમાં પાકી જાય છે અને એક માસમાં થનારા ફળની પરિપક્વતાની વિભિન્ન અવસ્થાઓ પાકમાં દબાયેલા ફળમાં પણ હોય છે. પરંતુ તે જલદી જલદી થઈ જાય છે. એવી જ રીતે જીવે આયુષ્યકર્મના જેટલા પ્રદેશના બન્ધન કર્યા છે તે તમામ તે ઉદયમાં આવ્યા વગર નાશ પામી શકતા નથી, પછી ભલે સોપકમ આયુષ્ય હોય કે નિરૂપક્રમ, સંપૂર્ણ આયુષ્ય ભેગવવું જ પડે છે. ફરક માત્ર એટલે જ છે કે ઝેર, અગ્નિ વગેરે ઉપક્રમ મળવાથી દીર્ઘકાળમાં જે આયુષ્ય ભેગવવાનું હતું, તે જલ્દી ઉદયમાં આવી જાય છે અને જોગવી લેવાય છે. આવી સ્થિતિમાં આયુષ્યની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે ? અમૃત--રસાયણનું સેવન કરવાથી પણ બાંધેલું આયુષ્ય વધતું નથી. લાંબા પથરાયેલા વસ્ત્રને સંકેલીને છેડી જગ્યામાં સમાવી શકાય છે પરંતુ વધુ લાંબુ કરી શકતું નથી. એવી જ રીતે જે આયુષ્યના દલિક છેડા બંધાયા હોય તેને લાંબા કરવાનું શકય નથી. જે અયુષ્ય અપ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy