________________
તત્વાર્થસૂત્રને બે પ્રકારના છે. સમનસ્ક અને અમનસ્ક. મન બે પ્રકારના છે. દ્રવ્યમન અને ભાવમન, મુગલવિપાકી કર્મના ઉદયની અપેક્ષાથી દ્રવ્યમન કહેવાય છે અને વીર્યાન્તરાય તથા નેઈન્દ્રીયાવરણ કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી આત્માની વિશુદ્ધતાને ભાવમન કહે છે.
આ પ્રકારના દ્રવ્યમન અને ભાવમનથી જોડાયેલા છે સમનસ્ક કહેવાય છે. અગાઉ કહેલા દ્રવ્યમનથી રહિત, માત્ર ભાવમનથી જ ઉપયોગ માત્રથી યુક્ત જીવ અમનસ્ક કહેવાય છે. આ રીતે દ્રવ્યમાન હોવાથી અથવા ન હોવાથી સંસારી જીવ અનુક્રમે બે પ્રકારના હોય છે. સમનસ્ક અને અમનસ્ક.
આશય આ છે કે-મનની નિષ્પત્તિ માટે વસ્તુના સ્વરૂપને ઓળખવા માટે આત્મા દ્વારા ગ્રહણ કરેલ સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દલિકદ્રવ્ય રૂપ મનપર્યાપ્તીકરણ દ્વારા જીવ ચિંતન કરવા માટે જે અનન્તપ્રદેશી મને વર્ગણાના યોગ્ય પુદ્ગલસ્કંધને ગ્રહણ કરે છે તે મન:પર્યાપ્તિ રૂપ કરણવિશેષ વડે ગ્રહણ કરાયેલા પુગલસ્ક દ્રવ્યમન કહેવાય છે.
ચિત્ત, ચેતના, યોગ અધ્યયસાન, અવધાન સ્વાન્ત તથા મનસ્કાર રૂપ જીવન ઉપયોગ ભાવમન કહેવાય છે. આ મન રૂપ કરણને અરિહંત ભગવાન શ્રત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થવા વાળા માને છે. તાત્પર્ય એ છે કે મન વાળા જીવને જ ધારણા જ્ઞાન હોય છે બીજાને હોતું નથી આ રીતે દ્રવ્યમાન અને ભાવમનથી યુક્ત જીવ જ સમનસ્ક અથવા સંજ્ઞી કહેવાય છે. જે જે મનઃ પર્યાપ્તિ રૂપ પ્રકારથી રહિત છે. પરંતુ ફકત ઉપગ રૂપ ભાવમનથી યુક્ત છે, તે જીવો અમનસ્ક કહેવાય છે. આ અમનસ્ક જીવોની મન:પર્યાપ્તિ રૂપ કરણની પ્રાપ્તિ થવા પર ચેતના અત્યન્ત ક્ષણિક હોય છે. જેવી રીતે કઈ ઘરડા માણસને લાકડીને સહારે મળે તેમ દ્રવ્યમનની મદદથી સંજ્ઞી જીવ સ્પષ્ટ રૂપથી ચિંતન કરે છે.
(૩) નારક, દેવ, ગર્ભજમનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચ સમનસ્ક હોય છે. આ સિવાયના બીજા જીવ અમનસ્ક કહેવાય છે. ઈહા, અપેહથી યુક્ત અને સમ્મધારણ સંજ્ઞાથી સંસી જીવ સમનસ્ક કહેવાય છે.
તવાર્થનિર્યુક્તિ –પૂર્વસૂત્રમાં જીવના લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ભેદ વગેરે કહીને તેના વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ “મામrrણા સંસારી જીવ સંક્ષેપથી બે પ્રકારના છે સમનસ્ક અને અમનસ્ક, અત્રે સમનસ્કામનસ્ક એવા સમાસયુકત પદના પ્રયોગ દ્વારા એ પ્રગટ કરમાં આવ્યું છે. કે અહીં સંસારી જીવોને જ સમ્બન્ધ છે, મુકત જીવોને નહીં સમનસ્ક તથા અમનસ્કને ભેદ સંસારી જીવમાં જ હોય છે, મુકત જીવોમાં નહીં.
સિદ્ધજીવ નેઅમનસ્ક કહેવાય છે બારમાં ગુણસ્થાનવતી જીવ સંસી જ માનેલા છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવર્તિ જીવ તથા સિદ્ધનોસંસી નો અસંશી કહેવાય છે. બીજા સ્થાનના બીજા ઉદ્દેશામાં કહ્યું છે પહેલું નરક, ભવનપતિ, વનવ્યંતર ત્યાં સુધી અસંગીતિર્યંચ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, કેટલાક સમય સુધી અસંજ્ઞી રહી પાછા તે સંજ્ઞી થઈ જાય છે. તે સૂ૦ ૩
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧