SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વા ટીકાનુવાદ— મોંગલાચરણ દેવગણ જેમના ચરણામાં નમસ્કાર કરે છે, જેએ તન્દ્રાથી મુક્ત છે અર્થાત્ જેમના જ્ઞાનની અનુપયેાગ–અવસ્થા દૂર થઈ ગઈ છે જેઓ સતત ઉપયેગમય ક્ષાયિક કેવળજ્ઞાનથી સંપન્ન છે અથવા મેાહજનિત પ્રમાદથી સર્વથા રહિત થઈ ગયા છે. તથા જેમણે ભદ્ર કહેતાં કલ્યાણને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લીધું છે. તે જિનેન્દ્ર ભગવાન રૂપી ચન્દ્રને પ્રણામ કરીને હૂં મુનિ ઘાસીલાલ નવ તત્વાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવા વાળા ભવ્ય એવા આ તત્ત્વાર્થ સૂત્રની રચના કરૂ છુ. ૧ 'जीवाजीव बंध पुण्णपावासव' त्यिादि દીપિકાથ—જેએ સંસારસાગરથી પાર ઉતરવાના અભિલાષી છે. તેમજ તે માટે અતિ ભગવાન દ્વારા પ્રતિપાદિત તત્ત્વાનુ જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છાવાળા છે. એવા ભવ્ય જનેાનાં સ્વાધ્યાય માટે સમસ્ત આગમાના સારને પેાતાની સશેાધનાત્મક પ્રજ્ઞાથી યથાશક્તિ સંગ્રહ કરીને, પ્રાકૃતભાષામાં નવ અધ્યાયામાં મેં તત્ત્વાર્થસૂત્રની રચના કરી છે. આ રચના પોતાની બુદ્ધિથી તત્વાની નવીન કલ્પના કરીને નહીં પરંતુ કયાંક કયાંક આગમાના શબ્દશઃ સ ંગ્રહ કરીને અને કયાંય કયાંક આગમના અને સંક્ષિપ્ત કરીને કરેલ છે. કયાંક કયાંક આગમેામાં વિસ્તૃત રૂપથી પ્રતિપાદિત કરેલ વિષયાનું સુભગરૂપથી વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જૈનાગમાના સમન્વયરૂપ આ તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથનુ નિર્માણ કરવામાં આવેલ છે. આ તત્ત્વાર્થ સૂત્ર નામના ગ્રન્થના આશય સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રાને અનુકૂળ મારી બુદ્ધિ અનુસાર તત્ત્વા॰દીપિકા નામની ટીકાની રચના કરૂ છું. પ્રથમ ઉત્તરાધ્યયન—એવં સ્થાનાંગસૂત્ર અનુસાર પ્રાકૃતગ્રન્થમાં કહેવામાં આવનારા નવ તત્ત્વાના ઉલ્લેખ કરીએ છીએ - (૧) જીવ (૨) અજીવ (૩) અન્ય (૪) પુન્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ આ નવ તત્ત્વ છે. (૧) જીવ ઉપયાગ લક્ષણ ચૈતન્ય સ્વભાવ ખાધસ્વરૂપ એવં જ્ઞાનમય છે. જેવી રીતે દીવાના પ્રકાશ નાની જગ્યામાં પણ સમાઈ જાય છે અને વિસ્તૃત ક્ષેત્રમાં પણ ફેલાઈ જાય છે એવી જ રીતે જીવ જ્યારે કીડીના પર્યાયમાં ઉત્પન્ન થાય છે તો તેના નાનકડા શરીરમાં સમાઈ જાય છે. અને હાથીરૂપે જો પેદા થાય છે તે મેટેરૂપે થઈ તે મુજબ શરીરને વ્યાસ થઈ ને રહે છે. આવા ત્રસ અને સ્થાવર વગેરે પ્રાણીયાને જીવ કહેવામાં આવે છે. (૨) ચેતના રહિત, અજ્ઞાન સ્વરૂપ (જ્ઞાનશૂન્ય) ધર્માસ્તિકાય વગેરે અજીવતત્ત્વ છે. (૩) લાખ તથા લાકડા જેવા અથવા દૂધ અને પાણી જેવા જીવ તથા કમ પુદ્ગલાનુ એકાકાર થઈ જવું યાની કાણુ વા ના પુદ્ગલાના આદાનને અંધ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy